માનવજ્યોતને વોરિયર્સ તરીકે સન્માન અર્પણ કરાયું

ભુજ અને ભુજ વિસ્તારમાં કોરોના વાયરસ વચ્ચે લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને વોરિયર્સ તરીકે શ્રી સમસ્ત ભાટિયા યુવા સંગઠન ગ્રુપ દ્વારા નિખિલભાઈ સી. આશરે સંસ્થાની ભૂખ્યાને ભોજન તથા કોરોના વાયરસ વચ્ચે લોક ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી સન્માનપત્ર અર્પણ કર્યું હતું. પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.