કોરોના મહામારી સંકટમાં લોકોને ઉપયોગી થનાર અને ભુજ વિસ્તારમાં દરરોજ ૨૫૦૦ ભૂખ્યા લોકોને તેમનાં ઘર સુધી જઇ ભોજન કરાવનાર અને ૧૬ વર્ષથી ભુજ અને ભુજ વિસ્તારમાં માનવસેવા, જીવદયા તથા પર્યાવરણ લક્ષી અને વ્યસનમુક્ત અભિયાન જેવી પ્રવૃત્તિ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી ખુશ થઇ શ્રી ભગુભા જુવાનસિંહ વાઘેલા પરિવાર, અશોકસિંહ બી.વાઘેલા, પ્રદિપસિંહ બી. વાઘેલા તથા શિવશક્ત ચાઇનાકલે ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને ૧,૦૨,૦૦૦ એક લાખ બે હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો.