શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ-મુંબઇ દ્વારા દાતાશ્રી શ્રીમતિ ભારતીબેન ભાગચંદ દામજી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇનાં સહયોગથી ગ્રુપ અધ્યક્ષ જયેશ જૈન, ઉપાધ્યક્ષ ગોવિંદજી પટેલ તથા ઉપાધ્યક્ષ પ્રવિણ લોડાયાના માર્ગદર્શન હેઠળ કચ્છમાં અબડાસા,ગાંધીધામ, મુન્દ્રા, માંડવી વિસ્તારોમાં રહેતા સમાજનાં ૮૦ સાર્ધમિક પરિવારોને ૨૧ વસ્તુઓ સાથેની રાશન સામગ્રી ઘરો ઘર જઇ હાથો હાથ અર્પણ કરવામાં આવેલ. દરેક જિનાલયોમાં ઉપકરણોની સામગ્રીની પહોંચાડવામાં આવેલ. તેમજ ૧૭ જૈનેત્તર પરિવારોને પણ રાશન સામગ્રી આપવામાં આવેલ.
માંડવી આશ્રમનાં વૃદ્ધ વડીલોને નવા વસ્ત્રો તથા મીઠાઇ અર્પણ કરવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને તથા ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ ના દર્દીઓને વસ્ત્રો તથા ફરસાણ વિતરણ કરવામાં આવેલ. નાસ્તાના પેકેટ, બીસ્કીટ, ચોકલેટ, નાઇટી, બરમુડા, ટોપી, સ્વેટર, શર્ટ અને ટી-શર્ટ, સુરવાલ ઝબ્બો, ટીશર્ટ, તથા બહેનો માટે ઇમીટેશન જવેલરી શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ-મુંબઇ દ્વારા આપવામાં આવેલ.
વિતરણ વ્યવસ્થા કિરણ દંડ, પ્રબોધ મુનવર, ભદ્રીક મૈશેરી, દિપેશ શાહ, કુસુમ લાલકા, રાજેશ લોડાયા, મહેશ નાગડા, સોમંચદ નાગડા, પ્રવિણ મોતા, હેમંત મોતા, મુકેશ દંડ, હિતેશ પટેલ, કિરીટ લોડાયા, મનોજ ગાલા, રાજેશ દંડ, રાજેશ ગોરજી, હુશેન હિંગોરા, રજાક હિંગોરા, લાભુ મારાજ, બુધિયા ગઢવીએ સંભાળી હતી.