૩૬ વિધવા મહિલાઓને રાશન કીટ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી વસીમભાઇ હનીફભાઇ ખત્રી ભુજનાં સહયોગથી ૩૬ વિધવા મહિલાઓને રાશન કીટ અર્પણ કરાઇ હતી.

માનવજ્યોત કાર્યાલયે દરેક બહેનોને સેનીટાઇઝરથી હાથ સાફ કરાવી દરેકને માસ્ક આપવામાં આવેલ. સોશ્યલ ડીસ્ટન્સ જાળવી દાતાશ્રી વસીમભાઇ ખત્રી તથા હનીફભાઇ ખત્રીનાં વરદ્‌ હસ્તે આ મહિલાઓને રાશન કીટ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી.

સખી સહેલી મહિલા મંડળનાં અનિતાબેન ઠાકુર વિધવા મહિલાઓને મદદરૂપ બન્યા હતા. વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, નીરવ મોતા, અક્ષય મોતા, દિપેશ ભાટિયાએ સંભાળી હતી.