માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને વિવિધ દાતાશ્રીઓ દ્વારા રસોડા વપરાશમાં મદદરૂપ ઈલેકટ્રીક સાધનો અર્પણ કરાયા હતા. જેનું ઉદ્ઘાટન દાતાશ્રીઓનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ.
રૂા. ૨ લાખનાં ખર્ચે રોટલીનું મશીન દાતાશ્રી માતુશ્રી જીવાંબાઈ પાસુભાઈ ગડા હસ્તે પ્રેમીલાબેન લક્ષ્મીચંદભાઈ ગડા ગામ કોડાય-કચ્છ નવનીતનગર (ભુજ) દ્વારા અર્પણ કરવામાં આવેલ.
રૂા. ૬૦ હજારનાં ખર્ચે લોયા કટીંગનું મશીન સ્વ. હરજીભાઈ નારાણ વેકરીયા, વનીતાબેન હરજી વેકરીયા, સુધીરભાઈ તથા સંદિપભાઈ હરજી વેકરીયા-મીરઝાપર દ્વારા અર્પણ કરવામાં આવેલ.
રૂl. ૨૫ હજારના ખર્ચે લોટ બાંધવાનું મશીન ધનજીભાઈ મનજી ભુડિયા, પુષ્પાબેન ધનજી ભુડિયા, રીતેશ તથા મિતેશ ધનજી ભુડિયા-સુરજપર વાલા દ્વારા અર્પણ કરવામાં આવેલ.
રૂા. ૨૫ હજારના ખર્ચે શાકભાજી કટીંગનું મશીન એક સદ્સગૃહસ્થ તરફથી અર્પણ કરાયું હતું.
મશીનોનું ઉદ્ઘાટન નવિનભાઈ દેવજી મેપાણી, નંદુલાબેન નવિનભાઇ મેપાણી, તુષાર નવિન મેપાણી સુરજપરવાલાનાં વરદ હસ્તે કરવામાં આવતાં સંસ્થાની સુવિધાઓમાં વધારો કરવા બદલ દાતા પરિવારોનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. દાતાશ્રીઓએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
પ્રારંભે સંસ્થાના મંત્રી શ્રી સુરેશભાઈ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહેમાનોને આવકાર આપી પ્રસંગ પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, મુરજીભાઈ ઠક્કર, ડો. પ્રતિક્ષાબેન પવાર, ઇલાબેન વૈષ્ણવ, આનંદ રાયસોની,દિપેશ શાહ, આરતી જોષી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઈ જોષીએ કરેલ. વ્યવસ્થામાં પંકજ કરૂવા, મહેશભાઈ ઠક્કર, વાલજી કોલી,દિલીપભાઈ લોડાયાએ સહકાર આપ્યો હતો.