Monthly Archives: April 2025

પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલાઓને માનવજ્યોત દ્વારા અંજલિ અપાઇ

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 28 પર્યટકોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પર્યટકો ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવેલ. ભોગ બનેલા પર્યટકોનાં આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે અંજલિ અપાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્ર્વરી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, નિતિન ઠક્કર, દીપેશ શાહ, મનસુખભાઇ નાગડા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ […]

ભુજનાં એસ.ટી. બસ સ્ટેશને ૬૦૦ પ્રવાસીઓએ ઠંડી છાસનો લાભ લીધો

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ભુજનાં એસ.ટી. બસ સ્ટેશને જીલ્લા એસ.ટી.તંત્ર અને માનવજ્યોત સંસ્થાનાં આયોજનથી રાજ્યનાં એસ.ટી. બસોમાં આવ-જાવ કરતાં ૬૦૦  પ્રવાસીઓએ બરફ,જીરા,નમકવારી ઠંડી છાસનો લાભ લીધો હતો. હીટવેની આગાહી વચ્ચે ધમ બપોરે ભારે તડકા વચ્ચે ઠંડી છાસ વિતરણ થતાં પ્રવાસીઓનો જઠારાગ્નિ ઠર્યો હતો. પ્રવાસી જનતાએ નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યને બિરદાવ્યું હતું. વ્યવસ્થા ભુજ […]

રામ નવમી નિમિત્તે ૧૫૧ ગરીબ પરિવારોને મીઠાઇ પકટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ૧૫૧ શ્રમજીવીક પરિવારોને અડધો કિલો મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર વ્યવસ્થા ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, હિતેશ ગોસ્વામી, આરતી […]