ભુજ શહેરનાં રેલ્વે સ્ટેશન માર્ગે આવેલ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત ભગવતી વિદ્યામંદિર શાળાનાં બાળશ્રમયોગીઓને લંડન સ્થિત દાતાશ્રી દ્વારા નવા ડ્રેસ અર્પણ કરાતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. નારાણપરનાં શ્રી ગોવિંદભાઇ ભુડિયા તથા અમૃતબેન ભુડિયાનાં વરદ્ હસ્તે આ નવા ડ્રેસ અર્પણ કરાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા શાળાનાં શિક્ષીકા બિંદીયાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રી દ્વારા […]
Monthly Archives: April 2024
માનવસેવા અને જીવદયાનાં ભેખધારી, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, સર્વ સેવા સંઘ અને કવિઓ મહાજનશ્રી ભુજના પૂર્વ અધ્યક્ષ, માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક સ્વ. તારાચંદભાઈ જગશી છેડાની બીજી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને માતૃશ્રી લક્ષ્મીબેન જગશીભાઇ છેડા પરિવાર કાંડાગરા- ભુજ તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા એક સદ્ ગૃહસ્થ દાતાશ્રી પરિવારનાં સહયોગથી હરતા-ફરતા છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. ભીડ ગેટ વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ છાશ પીવડાવવામાં આવશે. દરરોજ ૩૦૦ લીટર છાશ હરતા-ફરતા વાહનથી શહેરનાં […]
અબડાસા મોટી પંચતીર્થીનાં કોઠારા તીર્થે મુખ્ય જિનાલય પરિસરમાં એક નાનું સુંદર 500 વર્ષ પ્રાચીન સોહામણું જિનાલય છે. જે જિનાલયમાં સંપ્રતિકાલીન 2300 વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથપ્રભુજી બિરાજમાન છે. જૂના શાંતિનાથ તરીકે ઓળખાતા આ જિનાલયે રાત્રે 8 વાગ્યા પછી આરતી સમયે મોરલો દાદાનાં દરબાર અંદર પહોંચ્યોહતો. મોટા ભાગે ડુંગરો, મંદિરોનાં શિખરો, ઉંચા ટાવરો તથા ઉંચા મકાનો ઉપર […]
તેલંગના રાજ્યનો યુવાન મધુકુમાર ઉ.વ. 28 ગુમ થતાં તેનાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચતા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવ્યો હતો. તેને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે આશ્રય આપી તેની સારવાર શરૂ કરાવવામાં આવી હતી. સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેલંગના પોલીસનો સંપર્ક કરી તેનાં […]
ગુજરાતની જુદી-જુદી યુનિવર્સિટીઓ-કોલેજો-ગુજરાત વિદ્યાપીઠનાં છાત્રો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માટે ભુજની માનવજ્યોત સંસ્થાની પ્રથમ પસંદગી કરતા હોય છે. 30 દિવસની ટ્રેનીંગ દરમ્યાન સંસ્થા દ્વારા 49 જેટલી ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા કાઉન્સલીંગ અને વિવિધ સેવાકાર્યોની સમજ પૂરી પાડવામાં આવેલ. ટ્રેનીંગનાં અંતે ગુજરાત વિદ્યાપીઠનાં ત્રણ છાત્રોને રવજીભાઇ કરશનભાઇ હાલાઇ, શીવજીભાઇ પિંડોરીયા, લાલજીભાઇ હાલાઇ તથા માવજીભાઇ પિંડોરીયાનાં વરદ્ હસ્તે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી 101 શ્રમજીવીક પરિવારોને અડધો કિલો મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર વ્યવસ્થા ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, મનસુખભાઇ નાગડા, શંભુભાઇ જોષી, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, રફીક બાવાએ સંભાળી […]
માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને 7 દિવસ પહેલા વર્ધમાનનગર-માધાપર માર્ગેથી એક યુવાન મળી આવેલો. મેલા-ગંદા કપડા પહેરેલા યુવાનને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવેલ. 30 વર્ષિય આ યુવાને પોતાનું નામ ડો. ગીરીસલ્માન જણાવ્યું હતું. દોઢ વર્ષથી સ્નાન નકરેલા અને મેલા-ગંદા કપડા પહેરલા યુવાનને સ્નાન કરાવી તેનાં બાલ-દાઢી કરાવી કપડા બદલી કરવામાં […]
તામિલનાડુનો યુવાન લોકનાથમ્ લાંબા સમયથી ઘર અને પરિવારથી દૂર હતો. ઘર છોડ્યા પછી તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. જ્યાંથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિતિ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તામિલનાડુ […]
રાપર તાલુકાનાં સુવઇ મધ્યે આવેલ પંચાયતી પ્રાથમિક કન્યાશાળા મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ગામનાં સરપંચ શ્રી હરિલાલભાઇ એચ. રાઠોડે જયારે અતિથિવિશેષ પદ વાડીલાલભાઇ રતનશીં સાવલાએ શોભાવ્યું હતું. શાળાનાં આચાર્ય શ્રી ધર્મિષ્ઠાબેન ભાટ્ટીએ સૌ મહેમાનોને આવકાર્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ માનવજ્યોતની સમગ્ર […]
- 1
- 2