નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભુજનાં માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી રઘુવંશીનગર મહાકાલેશ્વર મંદિર ચોક મધ્યે યોજવામાં આવેલ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. મંદિરના પુજારી વિઠ્ઠલગીરી ગોસ્વામી, ડો. પ્રતિક્ષાબેન પવાર અને માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો. […]
Monthly Archives: August 2023
રાજસ્થાનનાં જયપુર શહેરનાં ગોપીરામ રાઠોડ ઉ.વ. ૫૪ ગુમળતાં શિક્ષીત પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. પરિવારજનો તેને શોધવા નીકળી પડ્યા. માત્ર અંગ્રેજી અને હિન્દી બોલતા ગોપીરામ કચ્છનાં બિદડા ગામનાં વાડી વિસ્તારની નર્મદા કેનાલ પાસેથી મોટા ભાડિયાનાં કલ્યાણભાઇ ગઢવી તથા સજણભાઇ ગઢવીને મળી આવતાં તેમણે નાના માડિયાનાં દેવાંગભાઇ ગઢવી મારફતે સંદેશો માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડ્યો હતો. […]
ગ્રીનપ્રેન્યોર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને “ચેન્જરમેકર ઓફ ઇન્ડીયાએવોર્ડ,, અર્પણ કરાયો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન હોલ મધ્યે યોજાયેલા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ રાજ્ય કક્ષાનાં સહકાર અને મીઠા ઉદ્યોગ વિભાગનાં મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માનાં વરદ્ હસ્તે શ્રેષ્ઠ કામગીરી માટે આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ […]
ઝારખંડના અમરાપરા વિસ્તારનાં પાપુર ગામનો ૩૬ વર્ષિય યુવાન કરામત અલી અબ્દુલમજીદ મિંયા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સુખી-સંપન્ન પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. જ્યાંથી ખબર મળે તે રાજ્ય-શહેરમાં પહોંચી જઇ પરિવારજનો તેની સતત શોધ ચલાવતા રહ્યા. આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે […]