Monthly Archives: May 2023

પરિવારના આધારસ્તંભનું મૃત્યુ થતાં સંસ્થા મદદરૂપ બની

ભુજનાં વોર્ડ નં. ૩ માં આવેલ વાસફોડા વાસ પાસે આવેલા વાદીવાસમાં રહેતા ભીખાભાઇ લક્ષ્મણભાઇ વાદી ઉંમર વર્ષ ૪૦નું તા. ૧૯-૫ નાં રાત્રે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. તેનાં પરિવારમાં તેની છ નાની દીકરીઓ, ૧ દિકરો અને પત્ની મળી ૮ સભ્યો છે. પરિવારનાં આધાર સ્થંભ સમાન પતિનું મૃત્યુ થતાં પત્નીએ પતિ ગુમાવ્યો છે જ્યારે ૭ નાના […]

સાહસ-શોર્ય-સેવા સાથે સત્ય ઘટનાઓનું માનવજ્યોત દ્વારા પુસ્તક પ્રસિદ્ધ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માનવસેવા,જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન જેવી ૪૯ જેટલી પ્રવૃત્તિઓ કચ્છભરમાં ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓને અનુલક્ષીને અનુભવાયેલી સાચી સ્ટોરીઓનું એક પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૧ અનુભવાયેલી સાચી સ્ટોરીઓ મુકવામાં આવી છે. ગુમ થયેલા અને મળી આવેલા લોકોની સ્ટોરીઓ, કોરોનાં કાળમાં થયેલા અનુભવો, માનસિક દિવ્યાંગોનું […]

જલારામ મંદિરેથી કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું

ભુજ શહેર પુનિતવન નજીક આવેલ સિલ્વર પાર્કનાં શ્રી જલારામ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર- કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભે મહેમાનોનું સ્વાગત શ્રી મહેશભાઇ ઠક્કરે કર્યું હતું. પ્રબોધ મનુવરે માનવજ્યોતની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્દેશ સાથે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું […]

પાતાળેશ્વર મહાદેવ મંદિરેથી કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

વ્યાયામશાળા ભુજ મધ્યે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરેથી શિવશક્તિ મહિલા મંડળનાં સહકારથી માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભેદમયંતીબેન સાગરપોત્રા, માયાબેન ભાટી, ભાનુબેન ભાનુશાલી, દક્ષાબેન શર્મા, દમયંતિબેન ગોહિલ, વસંતબા જાડેજા, રમાબેન ભાનુશાલી, ક્રિષ્નાબા જાડેજા તથા મંડળનાં સર્વે બહેનોએ ભજન-કિર્તન રજુ કરેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ સંસ્થાની ચાલી […]

બિહારની ગુમ મહિલા માનકુવામાંથી મળી માતા બાળકોનું છ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં વિદિશા જીલ્લાનાં કાશીરામ ખેડા ગામની મહિલા ઉ.વ. ૪૦૭ વર્ષ પહેલાં ગુમ થઇ હતી. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતી-ભટકતી રહી હતી. ત્યાર બાદ તે અચાનક કચ્છનાં માનકુવા ગામેથી મળી આવી હતી. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી માનસિક આરોગ્યની હોસ્પીટલભુજનાં મનોચિકિત્સક ડૉકટરથી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી. આશ્રમના […]

માનવજ્યોત દ્વારા બાળશ્રમયોગીઓને અક્ષરજ્ઞાન

છેલ્લા ૧૯ વર્ષથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જે બાળકો શાળાએ જતા નથી, તેવા બાળકોને શોધી શોધીને શાળાએ જતા કરવામાં આવે છે. સરકારશ્રીનાં શાળાપ્રવેશોત્સવ વખતે જુદી-જુદી શાળાઓમાં આવા બાળકોને શાળામાં દાખલ પણ કરાવી આપવામાં આવે છે. કચરા-પ્લાસ્ટીક વિણતા તેમજ મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામ માંથી મુક્ત કરાવી વાંચતા-લખતાં શીખાડી નજીકથી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં […]

૫૬મી લગ્નતિથિ નિમિત્તે જીવદયાનાં કાર્યો કરાયા

ઇન્ટરેકટ કલબ ઓફ ભુજ વોલ સીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી લક્ષ્મીબેન તથા જમનાદાસભાઇ વેલજી ઠક્કરની ૫૬ મી લગ્નતિથિ નિમિત્તે ભુજનાં હમીરસર તળાવ કિનારે કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનાં વિતરણ સાથે પ્રેરણારૂપ સેવા કાર્યો કરાયા હતા. તેમજ માનવજ્યોત સંસ્થા ભુજને જમનાદાસભાઇ ઠક્કર પરિવાર દ્વારા અનુદાન અપાયું હતું. મહાદેવ ગેટથી હમીરસર તળાવ ઓટલા પાસેથી પસાર થતા દરેક […]

નૃસિંહ મંદિરેથી કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

ભુજ સ્વામિનારાયણ મંદિર સામે આવેલા નૃસિંહ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કવિ કલાવૃંદ સંસ્થાનાં સહકારથી કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભે કવિ કલાવૃંદ સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઇ આચાર્યે પ્રાસંગિક પ્રવચન સાથે સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નરશીભાઇ પટેલ, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોનીએ સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સમજ આપતાં સૌને જીવદયાનાં કાર્યમાં […]

પતિ-પત્ની અને પિતા પુત્રીનું પાંચ વર્ષે થયું ફેરમિલન માતા-પુત્રીએ પાંચ વર્ષ સુધી પીડા વેઠી

રાજસ્થાનનાં કુનવારીયા જીલ્લાનાં રાજસમંદ વિસ્તારનો સુરેશ પ્રજાપતિ ઉ.વ. ૪૫ અચાનક ગુમ થયો હતો.વિવિધ રાજ્યોમાં તે રખડતો-ભટક્તો રહ્યો હતો.માર્ગમાં તેને અકસ્માત નડ્યો.જેનો કારણે પગમાં મોટું ફેકચર થયું.કોઇ તેની વહારે આવ્યું નહીં.કોઇ ટૂટીમેન્ટ થઇ નહીં.ખૂબ જ પીડા વેઠી.પરિણામે પગમાં કાયમી દિવ્યાંગતા આવી ગઇ. પગમાં કાયમી ખોટ રહી ગઇ છે.જેથી તેને ચાલવામાં મુશ્કેલી સર્જાઇ.પાંચ વર્ષ પછી આખરે તે […]

માનવજ્યોત સંસ્થા ભુજને વધુ ૧ લાખનું અનુદાન અપાયું

માનવસેવા અને જીવદયાનું કાર્ય કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને બાપાશ્રીનું મંદિર કેરા મધ્યે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દરબારગઢ ચોક ભુજ દ્વારા પૂજ્ય સ્વામિ જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિમાં રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. માનવજ્યોતનાં શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ પૂજ્યશ્રીનાં વરદ્ હસ્તે ચેક સ્વીકારેલ.પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, ૨મેશભાઇ […]