પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મોટા દિનારા ગ્રુપ શાળાની મોવરવાંઢ પ્રાથમિક શાળાનાં બાલમિત્રોને ચકલીઘર, કુંડા, કાપડની થેલી વિતરણ કરાયા હતા. તેમજ બાળકોને શિક્ષણ સાથે જીવદયાનું કાર્ય કરવા સમજ પૂરી પાડવામાં આવી હતી.
Monthly Archives: April 2023
માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન સાથે ભુજ અને કચ્છમાં ૪૯ જેટલી પ્રવૃત્તિઓ કરી રહેલ ભુજની માનવજ્યોત સંસ્થાને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પૂ. સ્વામી જિતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે બાપાશ્રીનાં મંદિર માધાપર મધ્યે રૂા. ૧ લાખનો ચેક અર્પણ કરાયો હતો. પૂજ્યશ્રીએ ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાને આશિર્વાદ પાઠવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર […]
ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત શ્રી નરનારાયણ દેવ ૨૦૦ વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ભુજ અને કચ્છભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને અન્નદાન માટે રૂપિયા પિસ્તાલીસ હજારનો ચેક સ્વામી કૃષ્ણવિહારીદાસજી તથા સ્વામી ભક્તિચરણદાસજીનાં વરદ્ હસ્તે અર્પણ કરાયો હતો. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.
માનવસેવા અને જીવદયાનાં ભેખધારી, પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય, સર્વ સેવા સંઘ અને કવિઓ મહાજનશ્રી ભુજના પૂર્વ અધ્યક્ષ, માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક સ્વ. તારાચંદભાઇ જગશી છેડાની પ્રથમ પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને પરિવારજનો તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. માતુશ્રી લક્ષ્મીબેન જગશી છેડા પરિવાર દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા […]
બિહારનાં બારોની વિસ્તારની પાંચ સંતાનોની માતા છેલ્લા ૧ વર્ષથી ગુમ હતી. પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ અચાનક ઘર છોડ્યું હતું. અને તે જુદા-જુદા રાજયોમાં રખડતી-ભટકતી રહી હતી. ૧ વર્ષ પછી તે ટ્રેન મારફતે અચાનક ભુજ આવી પહોંચી હતી. ભુજ શહેરનાં વિજયનગર વિસ્તારમાં રાત્રે ૧૦ વાગે પોલીસ સી ટીમનાં શીલતબેન નાઇ, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન શાહ, […]
શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ કોઠારાનાં પ્રમુખ તરીકે મણીલાલભાઇ રાયચંદ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેઓશ્રી માદરે વતન કોઠારા પધારતાં કોઠારા જી.ટી. હાઇસ્કુલ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં ગામવાસીઓ દ્વારા તેમને મીઠડો આવકાર અપાયો હતો. પ્રભાતસિંહ જાડેજા, પરેશ ઠક્કર, ભરતસિંહ જાડેજા, દીનેશ અજાણી, રાયચંદ લોડાયા, ધનપતિ લોડાયા, સુલેમાન ખત્રી, ખીરણ લોડાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન […]
મધ્યપ્રદેશનાં ગ્વાલિયર જીલ્લાનાં બ્રજ ભૂષણ શર્મા ઉ.વ. ૩૭ ને ડોકટર બનવાનું સપનું હતું. પરિવારજનોએ તેને એન્જિનિયર બનાવવા મોકલ્યો. ન્યુઝલેન્ડમાં રહી ડોકટરનો અભ્યાસ પૂર્ણ કરી ડોકટર બનવાની ખૂબ જ ઇચ્છા હતી. પણ તે સાકાર નથતાં આ યુવાને માનસિક સમતુલા ખોઇ બેસતાં તેણે અચાનક ઘર છોડ્યું હતું. અને જુદા જુદા રાજ્યોનાં શહેરોમાં તે રખડતો ભટક્તો રહ્યો હતો. […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને પગભર કરવાનાં ઉદ્દેશ સાથે દાતાશ્રી અમૃતબેન નારાણભાઇ મેપાણી સૂરજપરનાં સહયોગથી ૧૦ મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા હતા. દાતાશ્રી ડાયલાન નયના રાકેશ જેઠવા તથા પાર્વતીબેન અશ્વિનભાઇ જેઠવાનાં સહયોગથી બે ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીન તથા બે દિવ્યાંગોને ીલચેર અર્પણ કરાઇતી. દરેક મહિલાઓને ઠંડા પાણીનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એક સદ્ગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી નારાણપર ગામે રાધા-કૃષ્ણ મંદિર ચોકમાં, કુંડા- ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાના ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળનાં પ.પૂ. નારાયણસ્વરૂપ સ્વામિ તથા પૂ. ધર્મસ્વરૂપસ્વામિની ઉપસ્થિતિમાં તેમજ ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, કરશનભાઇ ભુડિયા, ભીમજીભાઇ સોજીત્રા, કાન્તીલાલ ભુડિયા, વાલજીભાઇ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં જીવદયાનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ […]
ભુજ આસ્થા સ્કુલ મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાનાં ટ્રસ્ટી શ્રી રેહાન મેમણ તથા શાળાનાં આચાર્યા અફસાના રેહાન મેમણે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે શાળાનાં બાળકો અને વાલીગણને ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલા જીવો માટે પીવાનાં પાણીની વ્યવસ્થા રૂપે માટીનાં કુંડા તથા ચકલીઓ માટે રૂપકડું ચકલીઘર દરેક […]
- 1
- 2