Monthly Archives: August 2022

ઓરિસ્સાનો યુવાન ૧૨ વર્ષ પછી ઘરે પહોંચ્યો પરિવારજનો તેને તેડવા તાબડતોબ ભુજ પહોંચ્યા પત્નિ-બાળકો સાથે થયું ફેર મિલન

ઓરિસ્સા રાજ્યનાં બોઉધ જિલ્લાનાં કુરનાપલ્લી ગામનાં ૩૩ વર્ષિય યુવાન જગત દત્તા ૧૨ વર્ષ પહેલા અચાનક ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અને તેને શોધવા પાછળ ૪ લાખ ખર્ચો કરી નાખ્યો પણ તેની કોઇ ભાળ નમળતાં પરિવારજનો ખૂબ નિરાશ થયા હતા. પત્ની-બે બાળકો અને બે દિકરી ધરાવતા પિતાને શોધવા પરિવારજનોએ રાત-દિવસ એક કર્યા […]

પરિવારની ગુમ વ્યક્તિને તેડવા પરિવારજનો વિમાન માર્ગે પહોંચ્યા સુખી-સંપન્ન પરિવારનાં યુવાનનું બે વર્ષે પરિવાર સાથે થયું ફેરમિલન પોતાનાં સંતાનને વિમાનમાં તેડી ગયા

પશ્ચિમ બંગાળનાં કલકત્તા વિસ્તારનો યુવાન ગણેશ લાલમોહન બાસ ફો૨ે ઉ.વ. ૨૬ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. માસી સાથે મામાનાં ઘરે જવા આ યુવાન કલકતાનાં રેલ્વે પ્લેટ ફોર્મ સુધી પહોંચ્યો હતો. માસી ટ્રેનમાં બેઠા અને ટ્રેન ઉપડી ગઇ. યુવાન બીજી ટ્રેનમાં જઇ બેઠો. અને સતત બે વર્ષ સુધી તે જુદા જુદા રાજ્યોમાં સતત […]

સંસ્થાને 90 હજારનું રાશન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન ચલાવતી ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ માનસિક દિવ્યાંગો, અને વૃદ્ધોની ટીફીન સેવા માટે દાતાશ્રી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ ટપરીયા કેરા હાલે લંડન નાં સહકારથી એક મહિનાનું રાશન અર્પણ કરાયું હતું. દાતા શ્રી પરિવારે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ […]

હરિયાણાનો સુભાષ ૪ વર્ષ પછી ભુજ માંથી મળ્યો પુત્રનું અવસાન થતાં માનસિક સમતુલા ગુમાવી

હરિયાણાનાં રોતક જીલ્લાનાં ગંધારા ગામનો ૫૦ વર્ષિય સુભાષ ઘરેથી ખેતરે જાઉં છું તેવું કહીને નીકળેલો. ત્યાર પછી તે ટ્રેન મારફતે જુદા-જુદા રાજ્યોમાં સતત ચાર વર્ષ સુધી રખડતો-ભટકતો રહ્યો હતો. પિરવારજનો તેને શોધવા પાછળ છ લાખ ખર્ચી નાખ્યા. ઘરે તેની પત્ની અને પુત્રો રાહ જોતા રહ્યા હતા. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક […]

માનસિક દિવ્યાંગ દર્દીઓનાં કાંડે રક્ષા બાંધી રક્ષાબંધન પર્વની કરાઇ અનોખી ઉજવણી

ભાઇ-બહેનનાં પવિત્રપ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંઠે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ શરણાઇ સાથે વાજતે ગાજતે આવી પહોચી હતી. કાર્યક્રમનું અતિથિવિશેષ પદ કેરાના જયંતીભાઇ પટેલ,રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, નીતિન ઠક્કરે શોભાવ્યું હતું. કાર્યક્રમનાં માર્ગદર્શક અને સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી […]

બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય – ભુજ દ્વારા માનવજ્યોતને સ્ટીલ વાસણ સેટો અર્પણ કરાયા

બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને સ્ટીલનાં થાળી-વાટકા-ગ્લાસ-ચમચીનાં ૨૫ સેટ અર્પણ કરાયા હતા. બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવાયું હતું. આ પ્રસંગે ક્ષેત્રિય પ્રબંધક શ્રી બી.એલ. મીના, એચ.આર.એમ. ચીફ મેનેજર શ્રી જલરામ સોલંકી, ડીસ્ટ્રીકટ મેનેજર શ્રી દાસ, ભુજ મેઇન […]

ભુજમાં ૧૦૩ વૃદ્ધ-વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી ભુજમાં એકલા-અટુલા -નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોનાં ઘર સુધી પહોંચી જઇ ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. વૃદ્ધ વડીલો ઘેર બેઠા ભોજન જમી રહ્યા છે. આ કાર્યની શરૂઆત ભુજનાં કબીર મંદિર સ્થળેથી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર તથા મહાવીર-કબીર-સાંઇ સત્સંગ મંડળનાં સહયોગથી કરવામાં આવેલ. ૭૦ ની વટ વટાવી ચૂકેલા, ઘરે એકલા […]

માનવજ્યોતને સીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ

સ્વ. શશીકાન્ત ચુનીલાલ ભટ્ટ ભુજનાં સ્મણાર્થે તેમનાં પરિવારજનો હસ્તે સરલાબેન ભટ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને જરૂરી સીકબેક વસ્તુઓ પલંગ, એરબેડ, કોમ્બેડચેર વિગેરે અર્પણ કરાઇ હતી. સંસ્થા વતી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિલીપ સાયલાએ વસ્તુઓ સ્વીકારી દાતા પરિવારનો આભાર માન્યો હતો.

માનવજ્યોતને ૨૫ હજારનું અનુદાન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી રમેશચંદ્ર માધવજી ગોર દેવલાલી તારા રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું. તેમજ એન્કરવાલા અહિંસાધામ પ્રાગપરને રૂા ૨૫હારનું અનુદાન અપાયું હતું. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ તેમજ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રાગપર દ્વારા ગીરીશભાઇ નાગડાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.