Monthly Archives: April 2022

નારાણપરમાં ૫૦૦ ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ એક સગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી નારાણપર ગામે રાધેકૃષ્ણ મંદિર ચોકમાં ૫૦૦ ચકલીઘરોનું નિઃશુલ્કવિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શ્રી ગોવિંદભાઇ રામજી ભુડીયાએ જયારે અતિથિવિશેષ પદ અમૃતબેન ભુડિયા,જશુબેન પીંડોરીયા, લીલાબેન સેંઘાણી, મનજીભાઇ સેંઘાણી, નીતાબેન ભુડિયાએ શોભાવ્યું હતું. સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાએ માનવજ્યોતની કચ્છમાં […]

શ્રી તારાચંદભાઇ છેડાનાં અવસાનથી માનવજ્યોતે સાચા રાહબર ગુમાવ્યા

માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક અને રાહબર શ્રી તારાચંદભાઇ છેડાનું અવસાન થતાં સંસ્થા દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારાના નિર્માણ કાર્ય અને માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં એમનું હરહંમેશ ઉપયોગી માર્ગદર્શન મળી રહેતું. તેઓનાં અવસાનથી સંસ્થાને નપૂરાય તેવી ખોટ પડી છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, ૨મેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, […]

માટીનાં કુંડા-ચકલીઘરોની વધતી જતી ડીમાન્ડ કચ્છનાં અનેક ગામો શહેરોમાં જીવદયાનું થઇ રહેલું કાર્ય

સખત ગરમી અને બળબળતા તાપમાં અબોલા જીવોને પીવા પાણી મળે તેવું જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય કરવા અનેક સંસ્થાઓ ભુજની માનવજ્યોત સંસ્થા સાથે જોડાઇ કચ્છભરમાં જીવદયાનું કાર્ય આગળ ધપાવી રહેલ છે. તરસ્યા પક્ષીઓને તથા ગાય માતાઓ, શ્વાનોને પીવા પાણી મળે એ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહેલ છે. શ્રી મા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ -નરા, સીતારામ ફ્રેન્ડસ […]

૧૫ વર્ષથી વિખુટી પડેલી પરિવારની મહિલાનું તેના પતિ-પુત્રો સાથે મિલન થતાં ભાવવિભોર દૃશ્યો સર્જાયા

મધ્યપ્રદેશનાં મંદસૌર જિલ્લાનાં ભાનપુરા તાલુકાનાં સમેલી ગામની ૪૭ વર્ષિય મહિલા લીલાબેન પૂરીલાલ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. બે-પુત્ર, બે પુત્રીઓ ધરાવતી આ મહિલાએ ગૃહ કંકાસના કારણે ઘર છોડ્યું હતું. અને સાધારણ માનસિક બિમારીનો ભોગ બની હતી અને અચાનક ટ્રેનમાં બેસી ગઇ હતી. અને પંદર વર્ષ સુધી તે જુદા-જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી. […]

હનુમાન જયંતિએ વધી પડેલો પ્રસાદ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો

હનુમાનજી જયંતિએ વધી પડેલો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યો હતો. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. મહાપ્રસાદ વધી પડ્યોનાં માનવજ્યોત સંસ્થા ભુજને ૨૩ ફોન આવ્યા હતા. જે પૈકી માનજ્યોત સંસ્થા ૧૯ સ્થળે પહોંચી શકી હતી. આ વધી પડેલું ભોજન સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે વિતરણ કરતાં સાડાચાર હજારથી વધુ ગરીબોએ ભરપેટ ભોજન […]

કથા પ્રસંગે સંસ્થાને અનુદાન અપાયું

માધાપરમાં ભાગવત કથા પ્રસંગે કૃષ્ણજન્મ નિમિત્તે ભુજમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ તથા વ્યસન મુક્તિ અભિયાનનું કાર્ય કરતી માનવજ્યોત સંસ્થાને દાતા શ્રી સ્વ. રવજી શામજી વાગડીયા પરિવાર હસ્તે હીરજી રવજી વાગડીયા માધાપર દ્વારા રૂા. ૩૦ હજાર તથા સ્વ. રત્નાભાઇ રવજી વાગડીયા માધાપર હસ્તે ભાનુબેન રત્ના વાગડીયા રૂા. ૧૦ હજારનું અનુદાન આપવામાં આવેલ. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા […]

રામનવમી નિમિત્તે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ પણ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા નારાણપનાં ગોવિંદભાઇ ભુડિયા, પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહે સંભાળી હતી.

વધતી જતી મોંઘવારીમાં અન્નનો બગાડ અટકાવીએ

અન્નનો એક એક દાણો બચાવો… મોંઘવારીએ માજા મૂકી છે. રાશનનાં ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે તેમ તેમ દરેક વસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે. સેવ-મમરા, વડા-પાઉં કે ડબલ રોટીથી પણ પેટ ભરી શકાશે નહીં. દરેક વસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે. મોંઘવારી કયાં જઇને અટકશે તેજ સમજાતું નથી. તેલ-ઘઉં-બાજરો-ચોખા રોજીંદા વપરાશની રાશનની વસ્તુઓનાં […]

જન્મદિવસની અનોખી ઉજવણી કરાઇ સંસ્થાને અનુદાન અપાયું

સિદ્ધરાજસિંહ ફલુભા ઝાલાનાં પૌત્રી, ડો. જયવીરસિંહ સિદ્ધરાજસિંહ ઝાલાના પુત્રી કાવ્યશ્રીબાનાં જન્મદિનની પરિવારજનોએ અનોખી ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રી સિદ્ધરાજસિંહે દશ વર્ષ પહેલા ૬ હજાર વૃક્ષો પોતાના બોરનાં પાણીથી જાત મહેનતે ઉછારેલ. ભુજ સીટી વિસ્તારનાં ૯ વન પૈકી પાંચ નંબરનું વન સિદ્ધરાજસિંહે જાત મહેનતથી બનાવેલ છે. તેમજ પક્ષીઓ માટે સ્વ ખર્ચે ચબૂતરો બનાવી […]

માનવજ્યોત દ્વારા દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતા ફરતા નિઃશુલ્ક છાશ કેન્દ્રનો ભુજનાં કબીર મંદિરેથી પ્રારંભ કરાયો હતો. દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કરાશે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં જરૂરતમંદ શ્રમજીવીકોને પીવા છાશ મળે તેવા ઉદ્દેશ સાથે માનવજયોત સંસ્થા ભુજ દ્વારા હરતું-ફરતું છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ કેન્દ્ર દ્વારા ગરીબોની આંતરડી ઠારવાનું કાર્ય કરાશે. […]