Monthly Archives: February 2022

માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

સામાજિક મહિલા અગ્રણી શ્રીમતિ નર્મદાબેન ગામોટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. નર્મદાબેને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો.

અ.નિ. શ્રી ઝવેરીભાઇનાં આત્મશ્રેયાર્થે બાળશ્રમયોગીઓને અલ્પાહાર કરાવાયો

અ.નિ. ઝવેરીભાઇ મુળજીભાઇ રાયકુંડલ (ઠક્કર) નાં આત્મશ્રેયાર્થે ઠા. નર્મદાબેન મુળજી જીવણદાસ રાયકુંલ પરિવાર હસ્તે ભાવેશભાઇ ઠક્કર, કેતનભાઇ ઠક્કર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત બાળશ્રમયોગી શાળાનાં બાળશ્રમયોગીઓને નોટબુક,બોલપેન તેમજ પાણીપૂરીનું અલ્પાહાર આપવામાં આવેલ. આ પ્રસંગે નગરસેવીકા રસીલાબેન પંડયા, શર્મિલાબેન પટેલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા શાળા શિક્ષીકા બિંદીયાબેન પંડયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. ઝવેરીભાઇને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. […]