Monthly Archives: May 2021

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોતને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા કોરોનાં સંકટમાં ભૂખ્યાને ભોજન આપવા માટે બે હજાર કિલો ઘઉં, એક હજાર કિલો ચોખા, બસો દશ […]

મહેશ્વરી સમાજના ધર્મગુરૂને અંજલિ અપાઇ

મહેશ્વરી સમાજનાં મહેશ સંપ્રદાયનાં મહાનધર્મગુરૂ, સ્પષ્ટ વક્તા અને ધાર્મિક લેખક માતંગ વેરશીભાઈ રામજીને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.  અનેક ધાર્મિક પુસ્તકોની રચના કરી, ધાર્મિક ગ્રંથોનું સર્જન કરી, સમગ્ર સમાજને જ્ઞાન પુરું પાડયું હતું. અનેકવિધ ધાર્મિક કાર્યો તેઓશ્રીનાં વરદ હસ્તે થયા હતા.  માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ […]

ઉત્તરપ્રદેશનો બાળક અચાનક ભુજ આવી પહોંચતા ચિલ્ડ્રન હોમ મધ્યે પહોંચાડાયો

ઉત્તરપ્રદેશ ગોસાઈમલ જિલ્લાનો ૧૩ વર્ષિય બાળક આર્યન સંદિપ ટ્રેન મારફતે અચાનક ભુજ રેલ્વે સ્ટેશને ઉતરતાં જ રેલ્વે સુરક્ષા દળનાં હાથમાં આવ્યો હતો. તે પ્રથમ વખત ઘર છોડી ટ્રેન મારફતે ભુજ સુધી પહોંચ્યો હતો.  માનવજ્યોત સંસ્થાને જાણકારી મળતાં જ સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાએ બાળકનો રેલ્વે સુરક્ષા દળ પાસેથી કબ્જો લઈ, બાળકનું કોરોના ટેસ્ટ કરાવી બાળકને […]

માનવજ્યોતનું હરતું ફરતું છાસ કેન્દ્ર જરૂરતમંદ લોકો સુધી પહોંચ્યું

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમજીવીક પરિવારોને પીવા છાસ મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સતત બીજા મહિને છાસ વિતરણ કાર્ય ચાલુ રખાયું છે. દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરવામાં આવે છે.  ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મજુરો-શ્રમજીવીકોને નમક, જીરાવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવે છે. નિઃશુલ્ક છાસ વિતરણ ૩ મહિના ચાલુ રહેશે. સંસ્થાનું હરતું ફરતું વાહન […]

લવીંગ-કપૂર-અઝમો, મિક્ષ પાવડર ૭ હજાર પડીકી વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટ વચ્ચે દર્દીઓની શ્વાસો શ્વાસની ઓકિસજન સ્થિતિ સુધારવા, આયુર્વેદીક ઉપચાર રૂપે લવીંગ-કપૂર-અઝમાનું પાવડર બનાવી મિશ્ર કરી બનાવવામાં આવેલ સાત હજાર પાઉચ વિતરણ કરવામાં આવ્યા હતા. જે સુંધવાથી રાહત મળે છે. તેમજ શ્વાસ પ્રક્રિયામાં સુધારો થાય છે.