Monthly Archives: August 2020

શ્રાદ્ધ નિમિતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે 

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવસેવાશ્રમપાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઈ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે.  સંસ્થા દ્વારા […]

વરસાદ વચ્ચે ભૂખ્યા લોકોને ભોજન પહોંચાડાયું 

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગોયલ ધરમપાલ રાધુ ભલોટ તથા ડાહ્યાલાલ માવજી ધારૂ માનકુવાનાં સહયોગથી વરસાદ વચ્ચે ઝુંપડાઓ અને ભૂંગાઓમાં રહેતા ૪૦૦ જરૂરતમંદ લોકોને લાડુ તથા ખારીભાત સાથેનું ભોજન પીરસાયું હતું. જેમના ઝુંપડાઓમાં વરસાદી પાણી હતું, ભૂંગા ઉપરની તાલપત્રી કે પ્લાસ્ટી કાગળ ફાટી ગયા હતા, વરસાદી પાણી ઘરોમાં આવતું હતું, ચૂલો કે સગડી પ્રગટી શકે […]

વરસાદ થોભે કે તુરત જ પક્ષીઓને ચણ આપો..

છેલ્લા કેટલાકદિવસોથી કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદમાં પક્ષીઓને પણ ખાવા ચણનો દાણો મળે અને રહેવા સુરક્ષિત ઘર મળે એ દિશામાં પણ માનવજ્યોત સંસ્થાએ સુંદર કાર્યક્યું છે.  રૂપકડું માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂક્યું છે. ભુજ અને કચ્છભરમાં ઠેર-ઠેર ચકલીઓ માટે માનવજ્યોત સંસ્થાએ ચકલીઘરો લટકાવ્યા છે. જેનાં સુંદર પરિણામો આવ્યા છે. આ […]

માનવજ્યોત દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ

જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી તથા નાગર જ્ઞાતિનાં પૂર્વ પ્રમુખ શ્રી પરીમલભાઈ ધોળકીયાની વિવિધ સેવાઓને બિરદાવી માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઇ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, આનંદ રાયસોનીએ અંજલિ આપી હતી

શ્રાવણી અમાસની થઇ અનોખી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શ્રાવણી અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નાનુબેન દેવજી નારાણ પટેલ, સ્વ. નારાણબાપા હસ્તે મીનાબેન પટેલ, આઇયાનગર મહિલા મંડળ-માધાપર, સ્વ. યશ મુકેશ જોશી-માધાપર, નિતેશભાઈ ગઢવી-ભુજ, સ્વ. અ.સૌ. કલાવંતીબેન પંડયા દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવી શ્રાવણી અમાસ ઉજવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પંકજ […]

જન્મદિવસની અનોખી ઉજવણી કરી નવી દિશા આપી

ભુજનાં ધીરેનભાઇ લક્ષ્મીકાંત શાહે (શાહ ટાયર્સ) પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. જન્મદિન દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને તથા ભુજ શહેરનાં ૧૦૦ વૃદ્ધ વડીલોને ઘેર બેઠાં ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડી જન્મદિવસ ઉજવ્યો હતો. વર્તમાનકાળમાં ચાલી રહેલા કોરોના વાયરસમાં ખોટા ખર્ચાથી બચી જરૂરતમંદ […]

વરસાદી માહોલ વચ્ચે ૩૦૦ લોકોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઝુંપડા અને ભુંગાઓમાં રહેતા ૩૦૦ જરૂરતમંદ લોકોને વરસાદી માહોલ વચ્ચે કપીરાજ હનુમાન મંદિર- મીરજાપર તથા લેવા પટેલ સમાજવાડી સુખપર નવાવાસ, વિશ્રામભાઈ સામજી રાબડીયાનાં સહયોગથી શીરો,શાક,ભાત,દાર,પૂરી સાથેનું ભોજન જમાડવામાં આવતાં શ્રમજીવીક પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. ભૂખ્યા બાળકોએ પણ ભરપેટ ભોજન કર્યું હતું. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રસીક […]

માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી જન્મદિવસ અને પુણ્યતિથિ ઉજવાઇ

હાલે કોરોના વાયરસનો સંકટ ચાલી રહ્યો છે. લોકો પોતાનાં પરિવારજનો સાથે ઘરમાં રહીને પણ સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડતાં રહે છે. ખોટા ખર્ચથી બચી લોકો પોતાની લક્ષ્મીનો સદવ્યય કરતા હોય છે. જન્મદિવસ હોય, મૃત્યુ તિથિ હોય, પુણ્યતિથિ હોય કે બારસ, સ્વર્ગસ્થનાં આત્મશ્રેયાર્થે પુણ્યનું કાર્ય કરવું. જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવું, તેને ભોજન કરાવવાનું કે, સાધર્મિક બંધુને […]

ઇન્નરવ્હીલ કલબ ભુજ દ્વારા કોરોના વોરિયસને સન્‍માનિત કરાયા

કોરોના વાયરસ સંકટમાં લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા, તેમજ ભૂખ્યા સુધી ભોજન પહોંચાડનાર, માનવજ્યોત ભુજનાં પ્રબોધ મુનવરની ઇન્ઞરવ્હીલ કલબ ભુજ દ્વારા કોરોના વોરિયર્સ તરીકેની સેવાઓને બિરદાવી પ્રમુખ શ્રીમતિ હર્ષાબેન કોટક, પ્રોજેકટ ચેરમેન ઉષાબેન ઠક્કર, સેક્રેટરી શ્રીમતિ સ્મીતાબેન નાગડા, કમળાબેન વ્યાસ તથા બિંદુબેન જોષીએ સન્માનપત્ર અર્પણ કર્યું હતું.

દો ગજ કી દૂરી… માસ્ક જરૂરી

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અત્યાર સુધીમાં ૨૫ હજાર થી વધુ માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સુખપરનાં દરજી નરેન્દ્રભાઈ મુરજી મોઢ છેલ્લા ૪ મહિનાથી માનવજ્યોત સંસ્થાનાં માસ્ક બનાવી રહ્યા છે. આ તૈયાર માસ્ક જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં જઈ […]