Monthly Archives: June 2020

બે દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી સ્વ. કુસુમબેન કાંતિલાલ લગધીર ચૌહાણનાં આત્મશ્રેયાર્થે તેમનાં પુત્ર નીલેશભાઇ ચૌહાણ માધાપર દ્વારા બે દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હવે અમો માર્ગો ઉપર હરી-ફરી શકશું. આ પ્રસંગે ઉપસ્થત સર્વેને માસ્ક વિતરણ કરાયા હતા. અત્યાર સુધી ૩૬૭ દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ […]

ગુમ થયેલી બાળકીને શોધી અપાઇ

ભુજીયા તળેટી વિસ્તારનાં ઝુંપડામાં રહેતા શ્રમજીવીક પરિવારની છ વર્ષિય બાળકી ગુમ થતાં પરિવારજનોએ સવારે ૯ વાગ્યાથી તેની સતત શોધ ચલાવી હતી. બપોરે ૩ વાગ્યા સુધી આ બેબી ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજને આ બાળકી દાદુપીર રોડ ઉપરથી મળી આવતાં બાળકીને પ્રેમપૂર્વક જમાડી હતી. બાળકીને ઘરનું એડ્રેસ પણ યાદ ન હતું. આખરે […]

આત્મશ્રેયાર્થે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

સ્વ. મદનસિંહ પરમાર તથા એડવોકેટ સ્વ. એમ.બી.સરદારનાં આત્માશ્રેયાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને તેમનાં મિત્ર વર્તુળ તથા પરિવારજનો દ્વારા મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બંને આગેવાનોની સેવાઓને બિરદાવી શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા સર્વે સભ્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

સ્વ. જુવાનસિંહ જાડેજાની પુણ્યતિથિ ઉજવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસા વિસ્તારનાં આગેવાન શ્રી જુવાનસિંહજી હમીરજી જાડેજાની ૮ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનોનાં સહકારથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને તથા વૃદ્ધ- વડીલોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન પરિવારજનો હસ્તે જમાડાયું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગુલાબ મોતા, મહેશ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી.

આર.ટી.ઓ. સર્કલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ૧૫૦ મહિલાઓને સાડીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ શહેરનાં આર.ટી.ઓ. સર્કલ પાસે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જરૂરતમંદ ૧૫૦ મહિલાઓને સાડીઓનું વિતરણત કરવામાં આવેલ. પૂર્વ નગર સેવીકા ઇન્દુબેન ઠક્કર, માલતીબેન ઉમરાણીયા, નૂતનબેન ઠક્કર વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, મુરજીભાઇ ઠક્કર, જેરામ સુતારે સહકાર આપ્યો હતો.

સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૬૨૮ લોકોને ઘર શોધી અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અત્યાર સુધીમાં ગુમ થયેલા ૧૬૨૮ લોકોને શોધી આપી ઘર સુધી પહોંચતા કરાયા છે. જેમાં ૯૩૩ રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગો, ૩૪૧ ઘરેથી રિસાઇને આવેલી મહિલાઓ યુવતીઓ, ૧૯૩ ગુમ થયેલા બાળકો તથા ૧૬૧ વૃદ્ધ વડીલોને શોધી સંસ્થાએ તેમને ઘર સુધી પહોંચાડી પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યું છે. કેટલાક […]

૨૦૦ મહિલાઓને સાડી વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજનાં જેષ્ઠાનગર તથા ડીપી ચોક વિસ્તારમાં ૨૦૦ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થામાં સખી સહેલી મહિલા મંડળનાં અનીતાબેન ઠાકુર મદદરૂપ બન્યા હતા. પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, કનૈલાલ અબોટી, રફીક બાવા, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સહકાર આપ્યો હતો.

૩૬ વિધવા મહિલાઓને રાશન કીટ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી વસીમભાઇ હનીફભાઇ ખત્રી ભુજનાં સહયોગથી ૩૬ વિધવા મહિલાઓને રાશન કીટ અર્પણ કરાઇ હતી. માનવજ્યોત કાર્યાલયે દરેક બહેનોને સેનીટાઇઝરથી હાથ સાફ કરાવી દરેકને માસ્ક આપવામાં આવેલ. સોશ્યલ ડીસ્ટન્સ જાળવી દાતાશ્રી વસીમભાઇ ખત્રી તથા હનીફભાઇ ખત્રીનાં વરદ્‌ હસ્તે આ મહિલાઓને રાશન કીટ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. સખી સહેલી […]

મહાકાલેશ્વર ગ્રુપ-ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

મહાકાલેશ્વર સેવા ગ્રુપ- રઘવુંશીનગર ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઇ રહી છે. ગ્રુપ દ્વારા દર મહિને બે વખત માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવે છે. માનસિક દિવ્યાંગોને વસ્ત્રો પણ અર્પણ કરાય છે. ગ્રુપનાં અશોક ઠક્કર, કિરણ ઠક્કર, ગોપાલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિશાલ જાષી, મોહનલાલ પિત્રોડા, કિશન પિત્રોડા, સાગર […]

સંસ્થા દ્વારા ૮૦ દિવસમાં ૧,૨૭,૯૭૮ જરૂરતમંદ લોકોને ભોજન કરાવાયું ૪ લોકડાઉન અને પાંચમાં અનલોકમાં સંસ્થાની પ્રવૃત્તિઓ સક્રિય અનેકોનાં પેટનો ખાડો પૂરાય છે

કોરોના સંકટનાં કારણે ઉભી થયેલી પરિસ્થતિમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂખ્યાને ભોજન કરાવવાની પ્રવૃત્તિમાં ૮૦ દિવસમાં ૧,૨૭,૯૭૮ જરૂરતમંદોને તેમનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ભોજન કરાવવામાં આવ્યું છે. દરરોજ ૭૯ વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. દર્દીઓની સારવાર અર્થે જુદી- જુદી હોસ્પીટલોમાં પહોંચેલા દર્દીઓનાં […]