<p>યુનિસેફ, કર્ણાવતી યુનિવર્સીટી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્યનાં ૩૩ જિલ્લાઓના ૧૧૬ પેરાલીગલ વોલીન્ટરોને ચાઇલ્ડ પ્રોટેકશન સીસ્ટમની ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ યુનાઇટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લો કર્ણાવતી યુનિવર્સીટી ગાંધીનગર યોજાયો હતો.</p> <p>કાર્યક્રમનું અતિથિવિશેષ પદ રાજ્ય લીગલ સર્વિસ ઓથોરીટેનાં શ્રી આર.કે. મોઢ, કર્ણાવતી યુનિવર્સીટીનાં પ્રોવોસ્ટ ડો. દિપક શિશુ, યુનિસેફ ગુજરાતનાં ચિફ ઓફિસર ડો. લક્ષ્મી […]
Monthly Archives: May 2019
બિહારનાં પટણા જિલ્લાનાં પકોરા ગામનો ૩૧ વર્ષિય યુવાન મુના મિસ્ત્રી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો ખુબ જ નિરાશ થયા હતા. દેશનાં અન્ય રાજ્યોમાંથી થઇ તે નારાયણસરોવર સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવર તેને નારાયણસરોવરથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ […]
નખત્રાણા દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા માનવજ્યોત સંસ્થા-ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સહયોગથી કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજનાં પ્રમુખ ગીરીશભાઇ ગોસ્વામી, નખત્રાણાના આગેવાન રાજેશભાઇ પલણ, ગોસ્વામી યુવક મંડળનાં પ્રમુખ મુકેશપુરી ગોસ્વામી, તાલુકા મહિલા મંડળનાં પ્રમુખ સીમાબેન ગોસ્વામી, જે.આર. ગોસ્વામી, જાગૃતિબેન ગોસ્વામીનાં અતિથિવિશેષ પદે યોજાયો હતો. રમીલાબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આઠ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ભુજની જનરલ હોસ્પીટલમાં દાખલ અજાણ્યા પુરૂષ આઠ જેને મુન્દ્રા, પદ્ધર, ભચાઉ, સામખીયારી, ગાંધીધામ, અંજાર તથા ભુજથી સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમ્યાન તેમનું અવસાન થતાં તેમનું આગળ-પાછળ કોઇ સગું-સાવકું નહોતાં લાસ ઓળખ વિધિ માટે રાખ્યા બાદ, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ દાખલા સાથે માનવજ્યોત […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયાનાં સહયોગથી નારાણપર (રાવરી) રાધા-ક્રિષ્ન મંદિર ચોક મધ્યે કુંડા અને ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ જીવદયા પ્રેમીઓની વિશાળ ઉપસ્થિત માં કરવામાં આવેલ. દાતાશ્રી ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, કરશનભાઇ ભુડિયા, મનજીભાઇ સેંઘાણી, સવિતાબેન ભુડિયા, રાધિકાબેન ગોસ્વામી, અનિતાબેન દરજી, વનીતાબેન ભુડિયા, રંજનબેન માણેક, કાનાભાઇ સેંઘાણી તથા મહેન્દ્ર […]
રાજકોટ શહેરનાં મોરબી જકાત નાકા વિસ્તાર, સેટેલાઇટ ચોક વિસ્તારની એક ૪૮ વર્ષિય સ્વસ્થ અને ખાનદાન પરિવારની મહિલા ગુમ થતાં પરિવારજનોએ રાજકોટ-ગોંડલ વિસ્તારમાં તેની સતત શોધ ચલાવી હતી. દશ દિવસ સુધી તે સતત રખડતી-ભટકતી રહી હતી. ત્યાર બાદ રાજકોટથી બસ મારફતે તે અચાનક ભુજ આવી ચડી હતી. કોઇકે તેને બસમાં ટીકીટ કઢાવી આપેલ. ભુજમાં ઉતરી રીક્ષા […]
અક્ષય તૃતિયા (આખાત્રીજ) નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં વિવિધ સમાજવાડીઓમાં લગ્નો પ્રસંગે ભોજન સમારંભો યોજાયા હતા. ૧૯ સમાજવાડીઓમાંથી ભોજન સમારંભોની રસોઇ વધી પડ્યા હોવાનાં ફોન માનવજ્યોત સંસ્થાને મળતાં જ સંસ્થાએ આ વધી પડેલી રસોઇ વિવિધ સમાજવાડીઓમાંથી એકઠી કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા પાંચ હજાર ગરીબો ભરપેટ જમ્યા હતા. અને તેમનાં પેટનો ખાડો પૂરાયો હતો. વિતરણ વ્યવસ્થા […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નારાયણસરોવર, કોટેશ્વર, માતાનામઢ તિર્થધામોનાં દર્શનાર્થે આવેલ ભક્તજનોને પ્લાસ્ટીકનાં થેલી ઝબલાનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરવાની સમજ આપી કાપડની થેલીઓનું વિતરણ કરી પર્યાવરણને બચાવવા, ગૌ માતાઓને બચાવવા અપીલ કરવામાં આવેલ. કાપડની થેલીઓ માટે સોની ખેતસી ખેંગાર ચેરીટેબલ ટ્રસ્ટ ભુજનો સહકાર મળેલ. નારાયણસરોવર તિર્થનાં કારભારી સોનલબેન […]
ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ – પાલારા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી, કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક […]