Monthly Archives: March 2019

નાગોર ગામે કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ નજીક આવેલા નાગોર ગામનાં બસ સ્ટેશને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ ગામનાં સરપંચ શ્રી અરવિંદભાઇ સોરઠીયાનાં અધ્યક્ષ પદે યોજાયો હતો. પ્રધ્યુમનસિંહ ચુડાસમાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રારંભે માનવજ્યોતનાં પ્રમુખ પ્રબોધ મુનવરે સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની સમજ પૂરી પાડી હતી. ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજાએ અબોલા […]

ઝારખંડની મહિલાનું પતિ-પુત્રો સાથે છ વર્ષે થયું મિલન માતાને પુત્રોએ નવી સાડી-મંગલસુત્ર પહેરાવીને ઘરે લઇ ગયા યુવાન પુત્રો ભૂતાન-દીલ્હીથી માતાને તેડવા ભુજ સુધી પહોંચ્યા

ઝારખંડનાં ગુમલા જિલ્લાનાં કુરૂ ગામની ૬૦ વર્ષિય ઇન્દ્રી દેવી છ વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ એક વર્ષ પહેલાં તે મોરબીનાં શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટનાં આશ્રમ સુધી પહોંચી હતી. અહીં બાર મહિનાં તેની સારી સારવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને મોરબીથી શ્રી […]

ઉત્તર પ્રદેશનાં પિતા-પુત્રનું બે વર્ષે થયું મિલન

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનાં દેવાર ગામનો ૩૦ વર્ષિય યુવાન મોહમદ હલીમ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ તે અચાનક ભુજ સુધી પહોંચ્યો હતો. અને માંડવીનાં દરિયા કિનારા વિસ્તાર સુધી પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે માંડવીથી મળ્યો હતો. માંડવીથી તેને ભુજ લઇ આવી માનવજ્યોત સંચાલિત શ્રી રામદેવ […]

માધાપરમાં કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માધાપર દશનામ ગોસ્વામી મહિલા મંડળનાં સાથ અને સહકારથી કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ ખેતરપાળ દાદા મંદિર માધાપર મધ્યે પ્રબોધ મુનવરનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પ્રારંભે મહિલા મંડળનાં પ્રમુખ સાવિત્રીબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે મંત્રી ગીતાબેન ગોસ્વામીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે […]

નાગાલેન્ડની ગુમ થયેલી છ બાળકોની માતા ભુજમાંથી મળી આવી

  નાગાલેન્ડ રાજ્યનાં ઓસુકુમ ગામની એક ૪૮ વર્ષિય યુવાન મહિલા ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચી હતી. પગે ચાલી લખુરાઇ ચાર રસ્તા સુધી પહોંચતા ત્યાંના ગન્ની ઇસ્માઇલ કુંભાર, અબ્દુલકાદર કુંભાર તથા સુલેમાન કાસમ કુંભારે તેને રીક્ષાથી માનવજ્યોત કાર્યાલયે પહોંચાડી હતી. પેન્ટ-શર્ટમાં સજ્જ આ મહિલાની ભાષા સમજી શકાય તેમ નહોતી. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર અને માનવજ્યોતનાં પ્રબોધ […]

આપણે આપણી વ્યવસ્થા કરી લીધી, પણ આપણી સાથે રહેતા પક્ષીની વ્યવસ્થા કરતાં ભૂલી ગયા માનવજ્યોત દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા “વિશ્વ ચકલી દિવસ,, ની ઉજવણી રોટરી નગરના તર્પણેશ્વર મહાદેવ મંદિરે બિહારીલાલ મંદિરના મહંત શ્રી મોનીબાપુની સાનિધ્યમાં કરવામાં આવી હતી.   પ્રારંભે  શ્રી બટુકભાઇ ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર આપ્યો હતો.  માનવજ્યોતના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવરે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં […]

પર્યાવરણ સાથે રૂપકડી ચકલીઓને પણ બચાવીએ (૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ) – પ્રબોધ મુનવર

આજે ચકલીઓનું અસ્તિત્વ જાખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઇ ગયેલા હોલા, કાગડા, પોપટ, કાબર, ગીધ, સમડી, કબુતર  પછી હવે  મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. એક હતો ચકો એક હતી ચકી વાર્તાર્ હવે ભૂંસાઇ રહી છે શહેરના બિલ્ડીંગોના ગાઢ વિસ્તારોમાં ચકા-ચકી પોતાનાં ઘરનું એડ્રેસ શોધતા-શોધતા એવા […]

માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો

ઉનાળાની કાળઝાળ ગર્મીમાં તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માટીનાં કુંડા તથા ચકલીઘરનું વિતરણ કાર્ય શરૂ કરાયું હતું. ભચાઉ તાલુકાનાં નેર ગામના પાબુદાદા મંદિર  પ્રાંગણેથી ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા તથા જાણીતા દાનવીર દાતાશ્રી નાનજીભાઇ ખીમજી થાણાવાલાનાં શુભ વરદ્‌ હસ્તે જીવદયાનાં આ કાર્યનો […]

૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ

કચ્છમાં ચકલીઓનું અસ્તિત્વ જાખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. કચ્છમાં લુપ્ત થઇ ગયેલા કાગડા પછી હવે કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાનાં બદલે છત, પ્રદુષણ, નવી રહેણી કરણી, ઉંચા મોબાઇલ ટાવરો, જંતુનાશક દવાઓનાં વપરાશ વિગેરે કારણોથી કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ […]

પૂ. જીગ્નેશદાદા (રાધે-રાધે) એ સંસ્થાને આશિર્વાદ આપ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા,  પાલારા-કચ્છ મધ્યે શ્રી રામદેવ સેવાશ્રમ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. માત્ર બે વર્ષમાં કચ્છમાં રસ્તે રઝડતા એકલા-અટુલા-નિરાધાર ૨૨૫ માનસિક દિવ્યાંગોને આ સ્થળે લાવી તેમની સારી સારવાર કરાવી, ઘર શોધી, ઘર સુધી પહોંચાડવાનું માનવસેવાનું ભગીરથ કાર્ય કરાયું છે. જેનાં કારણે કચ્છમાં રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગોની સંખ્યામાં ઘરખમ ઘટાડો થયો છે. અને […]