Monthly Archives: November 2018

કચ્છમાં જૈન સમાજનો સમુહલગ્નોત્સવ ઉજવાશે

૧૬ યુગલો પ્રભુતામાં પગલા માંડશે,સાથે જીવદયાનું કાર્ય હાથ ધરાશે શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઇ દ્વારા સમસ્ત જૈન સમાજનો ૨૮મો સમુહલગ્નોત્સવ તારીખ ૮ અને ૯ ડિસેમ્બરનાં રોજ શ્રી લીલાશા કુટીયા આદિપુર-કચ્છ મધ્યે યોજાશે. જેમાં જૈન સમાજનાં ૧૬ યુગલો લગ્નગ્રંથીથી જાડાશે. ગ્રુપ અધ્યક્ષ શ્રી જયેશ જૈન તથા ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદજી પટેલ તથા પ્રવિણ લોડાયાના જણાવ્યા મુજબ […]

પાંચ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નારણપરનાં દાતા શ્રી ગોવિંદભાઇ રામજી ભુડીયાનાં સહયોગથી પાંચ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરવા પ્રયત્નો કરાયા હતા. પ્રારંભે પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાં શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રીઓની ભાવનાંઓને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી અત્યાર સુધીમાં ૨૯૩ […]

ગુમ થયેલ મુસ્લિમ​ યુવાન પાંચ વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેર મિલન

ભાવનગરનાં હાડિયાવાડ વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષિય મુસ્લિમ યુવાન સલીમ ઇકબાલ ઘાંચી પાંચ વર્ષ પહેલાં ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી શોધખોળ ચાલુ રાખી હતી. અનેક રાજ્યોમાંથી થઇ તે ટ્રેન મારફતે અચાનક ભુજ સુધી પહોંચ્યો હતો. એક મહિનાં પહેલાં સીનીયર પેરાલીગલ વોલીટીયર્સનાં શ્રી પ્રબોધ મુનવર તથા માનવજ્યોતના રફીક બાવાને ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવતાં […]

૮ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આઠ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ભુજની જનરલહોસ્પીટલમાં દાખલ અજાણ્યા પુરૂષ આઠ જેને આદીપુર,પદ્ધર, ભચાઉ, નારાયણ સરોવર, ભુજથી સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમ્યાન તેમનું અવસાન થતાં તેમનું આગળ-પાછળ કોઇ સગું-સાવકું નહોતાં લાસ ઓળખ વિધિ માટે રાખ્યા બાદ, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં […]

બેલામાં મોર અને પક્ષી માટે આઘુનિક સગવડ વાળો ચબુતરો ખુલ્લો મુકાયો

એનકેટી થાણાવાલા ટ્રસ્ટના માતબર દાનથી કરાયું આયોજન રા૫ર તાલુકાના સરહદે આવેલા બેલા ગામે એક સાથે ૨૦થી ૨૫ મોર અને ૬૦ વઘુ પક્ષીઓ મુકત ૫ણે હરી ફરી શકે અને ચણ ચણી શકે તે માટે જમીનથી ૮ ફુટ ઉચો આઘુનિક ચબુતરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ચબુતરામાં ખાસ લીલયાની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૫ક્ષીઓ ચણ ચણતા […]

માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ મુખ્યમંત્રીનાં હસ્તે સન્માન કરાયું

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષે સ્નેહ મિલન પ્રસંગે વિવિધ સેવાભાવીઓનું સન્માન રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીનાં વરદ્‌ હસ્તે કરવામાં આવેલ. ભુજ, ભુજ વિસ્તાર અને સમગ્ર કચ્છમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવેલ. માનસિક દિવ્યાંગોની સેવા, બિનવારસલાસોની અંતિમક્રિયા, ગુમ થયેલા લોકોને શોધી આપવાનું કાર્ય, બાળશ્રમયોગીઓને અક્ષરજ્ઞાન, […]

બે યુવાન મહિલાઓ મળી આવતાં ૧૮૧ ને સોંપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજ વિસ્તારમાંથી બે યુવાન મહિલાઓ મળી આવતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનને સોંપાઇ હતી. રાત્રીના ભાગે માધાપરના કાસમસા પીરદરગાર બહારથી એક યુવાન મહિલા મળી આવી હતી. તેમજ ગાંધીનગરી રેલ્વે ફાટક પાસેથી વધુ એક ઓરીસ્સાની યુવાન મહિલા મળી આવી હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇનના રીટાબેન આસારી તથા જીનલ વણકરે કાઉન્સીલીંગ કર્યું […]

જલારામ બાપાનો પ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યો

જલારામ જયંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા શ્રી જલારામ મંદિર રવાણી ફળિયા ભુજનાં સહયોગથી ભુજ અને ભુજ વિસ્તારનાં ઝુંપડા અને ભુંગાઓમાં રહેતા ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જલારામ બાપાનો મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો. અનેક ગરીબો અને શ્રમજીવીકો ખીચડી-કઢી-રોટલા-ગોળ-મરચાનો મહાપ્રસાદ લઇ ભરપેટ જમી જલારામ બાપની જય જય કાર બોલાવી હતી. ભુજ રેલ્વે સ્ટેશને કામ […]

બિનવારસુ લાસનો આધારકાર્ડ બન્યો આધાર અંતિમવિધિ માટે પરિવારજનો આગળ આવ્યા

પશ્ચિમ બંગાળનાં ખડગપુર જિલ્લા મુકસદપુર તાલુકાનાં કૈયગેરીયા ગામનો ૨૨ વર્ષિય યુવાન કામ-ધંધા માટે ભુજ સુધી પહોંચ્યો હતો. અહીં કોઇ કામ-ધંધો ન મળતાં તે હતાશ થઇ ટેન્સનમાં આવી ગયો હતો. અંતે તેણે શેખપીર દરગાહથી ૧૦૦ મીટર ભુજ તરફ જતાં ગુંજન મિનરલ્સ નજીક એક લીંબડાનાં વૃક્ષમાં લટકી જઇ આત્મહત્યા કરી હતી. પોલીસ ને જાણ થતાં બનાવની તપાસ […]

બાળ મજુરી નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે અનેક બાળ મજૂરો શિક્ષણ તરફ વળ્યા

બાળ મજુરી પ્રથા નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે ભુજ શહેરમાં આવા રખડતા -ભટકતા અને મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામમાંથી મુક્ત કરાવી અક્ષરદાન આપવવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે. શાળાએ નજતા બાળકોની સંખ્યા હજુ પણ મોટી છે. આવા બાળકોને સમજાવી શાળા સુધી લઇ આવી પાયાનું શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવવા સુધીનું કાર્ય […]