ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં માનસિક દિવ્યાંગ દર્દીઓનાં કાંડે રક્ષા બાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ-શરણાઇનાં સૂરો સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી. કાર્યક્રમનું અતિથિવિશેષ પદ ૧૮૧ અભ્યમ્ સેવાના નિરૂપા બારડ, નગર સેવક માલશી નામોરી, આમદભાઇ જત, સહદેવસિંહ જાડેજા, કે.એન. ચાકી તથા પૃથ્વીરાજસિંહ […]
Monthly Archives: August 2018
રસ્તે રખડતા-ભટકતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા તેમજ લાગણી ગુમાવી બેઠેલા લોકોને પુનઃ નવજીવન મળે તે માટે માનવજ્યોત સંસ્થા આવા માનસિક દિવ્યાંગો માટે કાર્ય કરી રહી છે. જ્યારે એની હાલત જાઇએ ત્યારે આંખમાં આંસુ સુકાતા નથી. અને જ્યારે પરત મુળ અવસ્થા પામે ત્યારે આંખમાં હરખનાં આંસુ સમાતા નથી. પથ્થર દિલને પિંગળાવી નાખે તેવી અજબ-ગજબની પરિસ્થિતિમાંથી […]
માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને બહુચરાજી પાસેના સુંવાળા ગામની એક યુવાન મહિલા ભુજમાંથી મળી આવતા તેમજ ભુજમાંથી બીજી એક યુવાન મહિલા મળી આવતાં મહિલા હેલ્પ લાઇન ૧૮૧ ને સોંપાઇ હતી. કેરા ગામનો ૪૦ વર્ષિય માનસિક અસ્થિર યુવાન ભુજમાંથી મળી આવતાં તેને કેરા મધ્યે પરિવારજનોને સોંપાયો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ક્ષેત્રપાળ દાદાની પ્રતિષ્ઠા સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, જ્યાબેન મુનવરનાં વરદ્ હસ્તે કરવામાં આવી હતી. શ્રી રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રવિણ ભદ્રા, ગુલાબ મોતા, મુરજીભાઇ ઠક્કર, જેરામભાઇ સુતાર તથા માનસિક દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ પ્રાંગણમાં વાજતે-ગાજતે ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ક્ષેત્રપાળ દાદા નવનિર્મિત ડેરીમાં […]