જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજથી ૩ મળી ૨૦માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની વર્ષો પછી પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. અહીંથી તેઓને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવેલ. ત્યાંથી તેઓને તેમનાં ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ દરેક માનસિક દિવ્યાંગો દિપાવલી પર્વ પોતાના પરિવારજનો સાથે રહીને મનાવશે.
આ ૨૦ માનસિક દિવ્યાંગોને શુભેચ્છા પાઠવવા એક કાર્યક્રમ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન.પટેલસાહેબ, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગુજરાત રાજપુત યુવા સંઘ કચ્છ જીલ્લાના પ્રમુખ શ્રી રામદેવસિંહ પી. જાડેજા, ઇન્દ્રજીતસિંહ જે. જાડેજા, વસંતભાઇ અજાણી, હિંમતસિંહ સોઢા, હઠુભા સોઢા (કુરીયાણા),ડો. પ્રતિક્ષાબેન પવારનાં મુખ્ય અતિથિપદે યોજાયો હતો.
પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું. દરેક માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર તથા સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની અત્યાર સુધી થયેલ પ્રવૃત્તિઓની સંપૂર્ણ માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે, માત્ર છેલ્લા અઢી વર્ષનાં ગાળામાં સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૨૭૫ માનસિક દિવ્યાંગોને મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર અપાવી તેઓને સ્વસ્થ બનાવી, તેઓનું ઘર શોધી આપી પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યું છે. જેમાં શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતનો હરહંમેશ સિંહ ફાળો રહ્યો છે. ઉત્તરપ્રદેશનાં ૧, ઓરિસાનો-૧, મધ્યપ્રદેશનો-૩, મહારાષ્ટ્રના-૩, તથા નેપાળના-૧, ઓરીસ્સાના-૧, તમિલનાડુના-૧, ઝારખંડના-૧, હરિયાણાના-૧, પશ્ચિમ બંગાળના-૪, બિહારના-૩ મળી ટોટલ ૨૦ માનસિક દિવ્યાંગો નવા વ†ોમાં સજ્જ થઇ વર્ષો પછી પોતાનાં પરિવારજનો પાસે જવા પ્રયાણ કરી રહ્યા છે. જેમને આગેવાનોના હસ્તે ખેસ પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉદ્બોધન કરતાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક જીલ્લાઓમાં આવી સંસ્થાઓની જરૂરત છે. માનવસેવા, જીવદયા અને દરેક ક્ષેત્રોમાં કામગીરી કરતી માનવજ્યોત સંસ્થા અનેક વિધ પ્રવૃત્તિઓ કરી જરૂરતમંદ લોકો સુધી પહોંચી છે. ગુમ થયેલા લોકોને શોધી આપવાનું કાર્ય અદ્ભુત છે. માનસિક દિવ્યાંગોને બાલ-દાઢી-કટીંગ કરાવવા, સ્નાન કરાવવું, વ†ો બદલવા અને વિશ્વાસ કેળવવું એ મોટું કાર્ય છે. આ માનસિક દિવ્યાંગોએ ઘરે જશું એવું સ્વપ્ને નહીં વિચાર્યું હોય. શ્રી જાડેજાએ સંસ્થાના મુખ્ય કાર્યકરોનું શાલ ઓઢાળી તેઓનું સન્માન કરી તેઓની સેવાઓને બિરદાવી હતી.
સામાજિક અગ્રણી વસંતભાઇ અજાણીએ જણાવ્યું હતું કે, પાલારામાં આશ્રમ સ્થપાયું, જેથી અમોને ખુશી થઇ છે. ખૂબ આનંદ આવે છે. ભવોભવનાં પાપમાંથી મુક્ત થવાનો અનેરો અવસર અહીં પ્રાપ્ત થયો છે. આવા આશ્રમમાં આવીને રાજીપો વ્યક્ત કરીએ છીએ. અહીંથી ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોનાં માતા-પિતા-ભાઇ -બહેનો કેટલા ખુશી થશે. બસ આજ સાચી સેવા છે.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન. પટેલસાહેબે જણાવ્યું હતું કે, માનવજ્યોત એટલે માણસોની જ્યોત, જ્યોતને પ્રગટાવવાનું કામ આપણું છે. જેને કોઇ અડવા તૈયાર નથી. કુટુંબવાળા રાખવા તૈયાર નથી. એવા લોકોને રાખવા એ સૌથી મોટી સેવા છે. કચ્છની ધરા સંત મેકરણ દાદા, જેસલતોરલ જેવા સંતોની ભૂમિ છે. કચ્છની ચારે દિશામાં આપણાં સંતો બેઠેલા છે. જેથી કોઇની તાકાત નથી કે, આપણાં જીલ્લામાં ફરકી શકે. માનવતાનાં આ કાર્યો દયા, અહિંસા, પ્રેમને ચરિતાર્થ કરે છે. સંસ્થાના ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવ્યું હતું.ઘરે જઇ રહેલા માનસિક દિવ્યાંગોને ઉપÂસ્થત આગેવાનોએ ખેસ પહેરાવી-મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જલારામ સત્સંગ મંડળ-માધાપર, મહાકાળી મંડળ- વર્ધમાનનગર, ડાયમંડ મહિલા મંડળ અને ખોજા ઇસ્માઇલી સમાજ-ભુજ મહાવીરનગર મહિલા મંડળ દ્વારા દરેક માનસિક દિવ્યાંગોને મીઠાઇ- ફરસાણના પેકેટો અર્પણ કરવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, ગુલાબ મોતા, વાલજી કોલી, નીતીન ઠક્કર, મુળજીભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, માવજીભાઇ આહિર,નરશીં પટેલ, પ્રતાપ ઠક્કર, ડો. ફન્દીદ્રભૂષણ સહાય તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.