માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી સ્વ. વેલજી વીરજી હાલાઇ, સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. રામજી વેલજી હાલાઇ, સ્વ. વાલબાઇ દેવજી પિંડોરિયાનાં સ્મણાર્થે દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇ માધાપર-કચ્છ હાલે લંડનનાં સહયોગથી ૧૩ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા હતા.
દાતાશ્રી વિશ્રામભાઇ હાલાઇ, રતનબેન હાલાઇ, રવજીભાઇ પિંડોરિયા તથા સહ પરિવારજનોની ઉપસ્થતિમાં ૧૩ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરવામાં આવતાં તેઓશ્રીએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવાર તથા સંસ્થાનો આભાર માન્યો હતો. પ્રારંભે શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સ્વાગત પ્રવચન જયારે પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં દિપેશ શાહ, આનંદ રાયસોની, ગુલાબ મોતા, કનૈયાલાલ અબોટી, મુળજીભાઇ ઠક્કર તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.