૩ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં કર્યું ઘર તરફ પ્રયાણ દિપાવલી પર્વ પરિવારજનો સાથે મનાવશે

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૩માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. 

બિહારનાં બે અને ઉત્તરપ્રદેશનાં એક મળી ત્રણ માનસિક દિવ્યાંગોને માનવજ્યોતનાં સામાજિક કાર્યકર દિનાનાથજી તેઓને ઘર સુધી પહોંચાડશે. પરિવારજનો સાથે વર્ષો પછી ફેર મિલન થશે. સ્વસ્થ બનેલા આ ત્રણે માનસિક દિવ્યાંગો બરેલી ટ્રેન મારફતે ઘર જવા પ્રયાણ કર્યું હતું. દિપાવલી પર્વ પોતાનાં પરિવારજનોની વચ્ચે રહીને ઉજવશે. જેથી પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળશે. 

ત્રણે માનસિક દિવ્યાંગોને શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ આશ્રમસ્થળે કિશોરસિંહ દાનુભા જાડેજા (ખેડોઈ હાલે ભુજ), મોહનસિંહ માધુભા જાડેજા (વારાપદ્ધર- અબડાસા)ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઈ જોષી, પ્રવિણ ભદ્રાએ ઘરે જઈ રહેલા માનસિક દિવ્યાંગોને હાર પહેરાવી દુપટો પહેરાવી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.આશ્રમસ્થળેથી માત્ર ૩વર્ષમાં ૩૭૮ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા છે. વ્યવસ્થામાં પંકજ કુરૂવા, મહેશભાઈ ઠક્કર, મનીષ મારાજ, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.