માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારાવિશ્વ વન દિવસનિમિત્તે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
ડો. કિશોરભાઇ ગોસ્વામી, મીતાબેન ગોસ્વામી, વિનેશરામ સાધુ, ડો. પ્રતિક્ષાબેન પવાર, માવજીભાઇ આહિરની ઉપસ્થિતિમાં ફળ-ફુટના વૃક્ષો સાથે આશ્રમનાં પરીસરમાં ચારે બાજુ વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે શ્રી શંભુભાઇ જોષીએ વનદિવસનું મહત્વ સમજાવ્યું હતું. “વન વેરાણ તાં પાં હેરાન’” તથા છોડમાં રણછોડ, વધુ વૃક્ષો વાવાનાં સૂત્રો સાથે વૃક્ષારોપણ કરાયું હતું. રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, નિતિન ઠક્કર, રીતુબેન વર્મા, મુરજીભાઇ ઠક્કર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી, કલ્પનાબેન લાલને સંભાળી હતી.