માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પિતૃનાં મોક્ષ અર્થ શ્રાદ્ધની શાસ્ત્રોક્તવિધિ વિધાન સાથે ઉજવણી થઇ રહેલ છે.
દરરોજ વિવિધ મહિલા મંડળો તથા દાતાશ્રી પરિવારો અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવનાર લાભાર્થી પરિવારો પાલારા આશ્રમ સ્થળે પહોંચી શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિમાં જોડાય છે. અને પિતૃને પાણી અર્પણ કરે છે.
વર્ધમાનનગરનાં શ્રી મહાકાળી મહિલા મંડળનાં બહેનો શ્રીમતિ જયાબેન મુનવરની આગેવાની હેઠળ આશ્રમ સ્થળે પિતૃતદેવોની આરતી અને વિધિમાં જોડાયા હતા. દીપક મારાજે સ્વજનોને શ્રાદ્ધ અર્પણ કરવાનો મહિમા વર્ણવ્યો હતો. ત્યાર બાદ સર્વે બહેનોએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
મહાવીરનગર મહિલા મંડળ – ભુજ ના રૂક્ષ્મણીબેન મોતા, ડોલરબેન ઉપાધ્યાય, જયાબેન પરમાર, ભાનુબેન ચાવડા, ગીતાબેન ગજજર, મીઠીબેન રાજગોર, વિમળાબેન ગોર, રાધાબેન ઠક્કર વિગેરે જોડાયા હતા.