ભુજના વિવિધ મહિલા મંડળોએ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે સત્સંગ કર્યું

પિંગલેશ્ર્વર પૂનમ ગ્રુપ, દેવલીલા ચેરીટેબલ ટ્રસ્ટ, ક્રીશીવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોની વચ્ચે સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંડળોના બહેનોએ ભજન,કિર્તનની રમઝટ જમાવી હતી. તેમજ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વહસ્તે અલ્પાહાર કરાવ્યો હતો. અને રાસ, ગરબા રમ્યા હતા.

દેવલીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સ્વ. શાન્તાબેન મુળજીભાઇ ભાવસાર, પિંગલેશ્ર્વર પુનમ ગ્રુપનાં કૃપાલીબેન જેઠી તથા દિપાલીબેન ઠક્કર તરફથી માનવજ્યોત સંસ્થાને 3 કેરબા (વોટર જગ) અર્પણ કરવામાં આવેલ.

આ પ્રસંગે ચારે સંસ્થાઓનાં સભ્યો મીરાબેન જેઠી, વંદનાબેન ભાવસાર, નયાનાબેન ગોસ્વામી, મીનાબેન ગોરસીયા, ગીતાબેન મીરાણી, હંસાબેન ખત્રી, ભાનુબેન ગોર, જનકબા જાડેજા, જ્યોતિબેન ભાટીયા, મીનાબેન ભાટીયા, રીતુબેન વર્મા, આરતી જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મંડળો પ્રત્યે આભાર વ્યક્ત કરેલ.