માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી તથા શ્રી ક.વી.ઓ. જૈન મહાજનશ્રી ભુજનાં માર્ગદર્શન હેઠળ દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર- વર્ધમાનનગર હસ્તે રમાબેન શિરિષભાઇ મહેતા – અમેરીકાનાં સહયોગથી 3 અનાથ દીકરીઓને સિલાઇ મશીન અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે કાર્યક્રમનું અતિથિવિશેષ પદ શ્રી રણજીતસિંહ પી. જાડેજા (ટીલાટ) ચીરઇ હાલે અંજાર તથા પૃથ્વીરાજસિંહ એસ. જાડેજા નરોડા હાલે અંજાર તથા ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટીના પ્રમુખ યામિનિ દર્શન ઠક્કરે શોભાવ્યું હતું. શ્રી પૃથ્વીરાજસિંહ આર. જાડેજા તથા સુરેશભાઇ માહેશ્ર્વરીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં અનાથ અને વિધવા મહિલાઓને
પગભર કરવાની સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. 3 અનાથ મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાતાં તેમનાં ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.
કાર્યક્રમનું સંચાલન પ્રમુખ પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થા સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, રફીક બાવા, ભરતભાઇ સોની, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.