મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ત્રીજી પુણ્યતિથિ ઉજવાઇ

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધો, રંક બાળકો તથા ભૂખ્યાને રસ-પુરીનું ભોજન જમાડવામાં આવેલ.

કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ ધારશીં શાહ, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ 00જાડેજા, સહદેવસિંહ જાડેજાએ તેઓનાં માનવસેવા-જીવદયાનાં કાર્યોને યાદ કરી અંજલિ આપી
હતી.