ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર મનીષ ટી કંપની ભુજ પરિવારનાં સહયોગથી ૧૨ વિધવા મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ૬૩૦ વિધવા મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ.
સુરેશભાઇ માહેશ્ર્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, વિધવા મહિલાઓને પગભર કરવા તથા તેઓ ઘેર બેસી સિવણનું કાર્ય કરી સમાજમાં સ્વમાન સાથે જીવી શકે તેવા ઉદેશ સાથે આવા મહિલાઓને દાતાશ્રીઓના સહયોગથી સિવણ મશીન અપાતા હોય છે.
કાર્યક્રમ સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ.
વ્યવસ્થા આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, નીતીનભાઇ ઠક્કર, ગોવિંદભાઇ પાટીદાર, મનસુખભાઇ નાગડા, પ્રવિણ ભદ્રા, ભુપેન્દ્રભાઇ બાબરીયા, કનૈયાલાલ અબોટી, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતાએ સંભાળી હતી.