વિશ્વ તમાકુ નિષેધ દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોલીવાસ અને વાસફોડાવાસ મધ્યે લોકોને તમાકુ, માવા, સીગારેટ, બીડી, ગુટકા છોડી જીવન બચાવવા સમજ પૂરી પાડવામાં આવેલ.
માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, તમાકુ ઝેર છે… તેને ખાવાની કોઇ જરુર નથી. તમાકુ ખાતા રહેશો તો પરિવાર પાયમાલ થશે. વ્યસનમાં બરબાદી છે… તેને છોડવામાં આબાદી છે. ભૂતકાળની ભૂલો ભૂલી ભવિષ્યને ભવ્ય બનાવવા સમજ પૂરી પાડવામાં
આવેલ.
સંસ્થાનાં પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ જુદા-જુદા વિસ્તારોમાં લોકોને વ્યસનમુક્ત બનવા સમજ આપી હતી.
પ.પૂ. નરેશમુનિ મારાજ સાહેબે પોતાની આખી જિંદગી વ્યસન મુક્તિ અભિયાન પાછળ લગાડી અનેક લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે. ત્યારે તમાકુ ગુટકા, બીડી, માવામાંથી લોકો વ્યસનમુક્ત બને તેવી અપીલ કરવામાં આવી હતી.