જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ કામદાર દિવસની ઉજવણીનાં ભાગરૂપે આશ્રમનાં માનસિક દિવ્યાંગોને, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન -ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગાયોને ઘાસચારો પણ નાખવામાં આવેલ.
શ્રમજીવીક વિસ્તારોમાં બરફ-જીરાવાળી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવેલ. તેમજ ભૂંગા-ઝુંપડામાં રહેતા ૫૦૦ થી વધુ કામદારોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. વ્યવસ્થાપ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, રફીક બાવાએ સંભાળી હતી.