કચ્છ કોરોના મુક્ત બને એ દિશામાં અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. સંજયભાઇ શાહ દ્વારા છેડવામાં આવેલ અભિયાન ‘માસ્ક નહીં તો વાત નહીં.,, ધીરે ધીરે કચ્છભરમાં પહોંચી રહ્યું છે.
કોરોના મહામારી સંકટ સામે લોકો જાગૃત રહે એ માટે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઠેર – ઠેર બેનરો લગાડી લોકજાગૃતિ અભિયાનને આગળ ધપાવવામાં આવી રહેલ છે. શહેરો – ગામડાઓમાં બેનરો લગાડી લોકોને માસ્ક ફરજિયાત પહેરવા સમજ પૂરી પાડવામાં આવી રહેલ છે.
કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોવા છતાં જાગૃતિનાં ભાગરૂપે માસ્ક આખા શરીરને પ્રોટેકશન પૂરું પાડતું હોઇ મોઢા ઉપર માસ્ક બાંધવું જરૂરી ગણાવાયું છે. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.