માનવજ્યોત દ્વારા જરૂરતમંદ લોકોને ખજુર તથા ગરમ ધાબડા અપાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા છેલ્લા ૪ દિવસમાં ૪૦૦ જરૂરતમંદ લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું છે. ૧૨૦ પરિવારોને અડધો-અડધો કિલો ખજૂર પણ આપવામાં આવી છે. 

શિયાળામાં શરીરને કંપાવી નાખતી ઠંડીમાં ઝુંપડાઓ-ભૂંગાઓ અને કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ લોકોની વહારે ભુજની માનવજ્યોત સંસ્થા આવી છે. 

છેલ્લા અઠવાડિયાથી ઠંડીએ અતિ જોર પકડયું છે ત્યારે ખુલ્લામાં અને ફૂટપાથ ઉપર પડયા પાથર્યા રહેતા લોકોની મદદે માનવજ્યોત સંસ્થા આવી છે. 

સેવાભાવી અને માનવસેવામાં માનનારા દાતાશ્રીઓ ગરમધાબડા માનવજ્યોત સુધી પહોંચાડે છે. માનવજ્યોત આ ધાબડા જરૂરતમંદ લોકોને હાથો હાથ પહોંચાડે છે. 

જયેન્દ્રભાઈ દામજી લોદરીયા પરિવાર – ભુજ દ્વારા ખજુરનાં અડધો કિલોનાં ૧૨૦ પેકેટો જરૂરતમંદ લોકોને પહોંચાડવા માનવજ્યોતને મળેલ. જે ગરીબોના ઝુંપડે વિતરણ કરવામાં આવેલ. શ્રીમતિ ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરીષ મહેતા-વર્ધમાનનગર દ્વારા ૧૨૦ ધાબડા,શ્રી રામભરોસે હસ્તે જયદીપભાઈ દ્વારા ૨૦૦ ધાબડા, લાલજીભાઈ શીવજી વેલાણી-માનકુવા દ્વારા ૧૦૦ ધાબડા, કોકિલાબેન અનીલ મહેતા-વર્ધમાનનગર દ્વારા ૨૦, સ્વ. ભાવેશ અનીલ મહેતા-વર્ધમાનનગર દ્વારા ૧૦, શ્રી રામભરોસે નવાવાસ-માધાપર દ્વારા ૪૫ ધાબડા, નવીનભાઈ આઈયા-ભુજ દ્વારા ૪૫ તેમજ તક્ષશીલાબેન એમ. ધરમશી તથા વિધાતાબેન એમ. ધરમશી તારદેવ-મુંબઈ દ્વારા ૧૦૦ ગરમધાબડા મળેલ. જે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવેલ. 

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, મુરજીભાઈ ઠક્કરે સંભાળી હતી.