માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિકલાંગ દિવસ નિમિત્તે વિકલાંગોને ટ્રાયસિકલ, ઘઉં, ચોખા,બાજરો સાથેની રાશનકીટ, ગરમધાબડો તથા મીઠાઈ બોક્ષ અર્પણ કરી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. કોરોના સંકટમાં તેમની રોગ પ્રતિકાર શક્તિ વધારવા જીલ્લા આયુર્વેદિક શાખા દ્વારા ડો. પ્રતિક્ષાબેન પવારે દરેકને હોમિયોપેથી ગોળીઓનાં પેકેટ આપેલ. દરેકને માસ્ક અર્પણ કરાયા હતા.
દિવ્યાંગોનું સમાજમાં માન-સન્માન-પ્રતિષ્ઠા વધે, તેઓ પ્રગતિનાં શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. ૨૧ દિવ્યાંગોનાં ઘર સુધી રાશનકીટ પહોંચાડવામાં આવેલ.
આ પ્રસંગે ડો. પ્રતિક્ષાબેન પવાર, વનરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, ઇલાબેન વૈષ્ણવ, આરતી જોષી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઈ જોષીએ કરેલ. વ્યવસ્થામાં દિપેશ ભાટિયા, અક્ષય મોતા, રાજુ જોગી, રસીક જોગી, ઈરફાન લાખા, વેસુભા જાડેજાએ સહકાર આપેલ.