માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચાલુ વર્ષે કચ્છમાં 30 હજાર માટીનાં ચકલીઘરો કચ્છનાં શહેરો, ગામોમાં લટકાડવામાં આવ્યા. જે ચકલીઘરોમાં ચકલીઓએ માળો બાંધી ઇંડા, બચ્ચા મૂકયાની અનેક તસ્વીરો જીવદયાપ્રેમીઓએ માનવજ્યોત સંસ્થા ભુજને વોટસઅપથી પહોંચાડી હતી.
માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂકયું હોઇ ચકલીઓ આવા ઘરને પોતાનું ઘર બનાવી લીધું છે. ઠેર-ઠેર લટકતા ચકલીઘરો જ્યાં લટકાવો ત્યાં શોભા વધારે. અને બાળકોમાં પણ પ્રિય બની ચૂકયા છે. ચકલીઓ માટે રહેવાની વ્યવસ્થા થતાં જ સારા પ્રમાણમાં ચકલીઓ કચ્છમાં દેખાઇ રહી છે.
માનવજ્યોત સંસ્થા ભુજને જીવદયાનાં આ કાર્યમાં મોટી સફળતા મળી છે. ઠેર-ઠેર લટકતા ચકલી ઘરોને ચકલીઓએ પોતાનું રહેણાંક બનાવી દીધું છે.