ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં ૨૦ વિદ્યાર્થીઓએ ભુજમાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ મેળવી

ગુજરાતની વિવિધ યુનિવર્સીટીઓ, શાળા, કોલેજાનાં વિદ્યાર્થી ભાઇ-બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનીંગ માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને મેળવે છે. તેઓને ૩૦ થી ૪૫ દિવસની ટ્રેનીંગ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં ૧૩૪ વિદ્યાર્થી ભાઇ- બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જાડાઇ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનીંગ મેળવી હતી અને કાઉન્સલીંગ પણ કર્યું હતું.

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં પ્રદ્યાપક ડો. વીપીનભાઇ મકવાણાની આગેવાની હેઠળ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં પાંચ વિદ્યાર્થીઓ અને પંદર વિદ્યાર્થીઓએ ૩ દિવસ સુધી માનવજ્યોત સંસ્થા ભુજમાં રહી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની સમજ મેળવી હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ અને સિવિલ જજ શ્રી બી.એન.પટેલ સાહેબે આ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવાનો સાચો માર્ગ અને કાનૂન વિશે સમજપૂરી પાડી હતી.

માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી તથા ડો. જે.વી.પાટનકરે પણ મનોરોગીઓ અને એમની થતી સારવાર વિશે સમજપૂરી પાડી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, ગુલાબ મોતા તથા સર્વે કાર્યકરોની ટીમે તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.