મહારાણીશ્રી પ્રિતિદેવજીનાં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા. જન્મદિન પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. તેમજ એકલા-અટુલા નિરાધાર ૧૦૦ વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ઘેર બેઠા ભોજન કરાવાયું હતું. પરિવારજનો દ્વારા માનવજ્યોતને ૧૦ હજારનું અનુદાન અપાયું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષીએ […]
Category Archives: પ્રવૃત્તિઓ
ભુજ શહેરમાં ત્રિદિવસીય સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે માનવજ્યોત સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચી હતી. ભુજની જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીઓનાં સગા સબંધીઓને છાસ અને પાણી વિતરણ કરાયું હતું. એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં શ્રમજીવકોને નમક-જીરાવારી ૩૦૦ લીટર છાસનું વિતરણ કરાયું હતું. ૧૦૦થી વધુ વૃદ્ધ વડીલોને તેમનાં ઘર સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડાયું હતું. શ્રી […]
શ્રી જલારામ ચેરી-ટેબલ ટ્રસ્ટ દાદરની પ્રેરણાથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા તથા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને દરરોજ બપોરે ઘેર બેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. જેનું કોઈ નથી. બીજા ઉપર પરાધીન છે…બિમાર છે.. પથારી ઉપર છે… ચાલી શકતા નથી. ઘરથી બહાર નીકળી શકતા નથી એવા ૧૦૦ વૃદ્ધોનાં ઘેર જઈ ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડાય છે. […]
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. બળબળતા તાપમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને પીવા છાસ મળે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતું-ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧ મહિનાથી શરૂ થયેલ આ છાસ કેન્દ્ર દ્વારા દરરોજ જુદા-જુદા વિસ્તારોમાં પહોંચી જઈ હરતા-ફરતા છાસ કેન્દ્ર દ્વારા જરૂરતમંદ શ્રમજીવીક પરિવારોની આંતરડી ઠારવાનું કાર્ય થઈ રહ્યું […]
સ્વ. મહેશભાઈ પુરૂષોત્તમ સોલંકી માધાપરનાં બારમા નિમિતે તેમનાં આત્મશ્રેયાર્થે પરિવારજનોના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવા કાર્યો કરાયા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, શ્રમજીવીકોને ભોજન, ૧૦ વિધવા મહિલાઓને રાશન કીટ, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, કીડીયારો, કૂંડા, ચકલીઘર વિતરણ જેવા માનવસેવા અને જીવદયાનાં કાર્યો કરાયા હતા. પરિવારજનો દ્વારા […]
પૂર્વ સિવિલ સર્જન અને જાણીતા ડો. સૂર્યકાન્ત ભેદાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઈ હતી. સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષીએ તેમની સેવાઓને બિરદાવી અંજલિ અપાઇ હતી.
ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]
કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી એક નિદાન કેમ્પ જેષ્ઠાનગર ભુજ મધ્યે યોજાયો હતો. પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, વિરાંગના સ્પેશીયલ સ્કોર્ડનાં જાંબાજ મહિલાઓએ આ નિદાન કેમ્પને ખુલ્લુ મુકાયું હતું. ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી હતી. ૯૨ દર્દીઓનાં દર્દનું નિદાન કરી દવાઓ નિઃશુલ્ક અપાઈ હતી. રોગ પ્રતિકાર શક્તિ વધારવા ૩૦૨ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી ઉર્મિલાબેન વિશનજી કારિયાનાં સહયોગથી જરૂરતમંદ ૩૧ વિધવા મહિલાઓને ૧૦ કિલો ઘઉં, પ કિલો ચોખા, ૩ કિલો મગફાડા સાથેની રાશનકીટ અર્પણ કરાતાં મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. સમાજમાં પ્રજા સાથે સુરક્ષા સેતુ બનાવવાનું કાર્ય તેમજ પડકારો અને કાયાદાઓની જવબાદારીવાળી સેવા, તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત ભુજ શહેર […]
દશનામગોસ્વામી મહિલા સત્સંગ મંડળ નખત્રાણા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી જીવદયા કાર્યક્રમ દશનામકૈલાશધામ નખત્રાણા મધ્યે યોજાયો હતો. પ્રારંભે જાગૃતિબેન મુકેશપુરી તથા ભવાનાબેન ગોસ્વામીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જાગૃતિબેન શંભુગીરી, રૂક્ષ્મણીબેન ગોસ્વામી, રમીલાબેન ગોસ્વામી, હર્ષિદાબેન ગુસાઇએ પ્રાસંગિક પ્રવચનો કરી મહિલા મંડળ અને સત્સંગ મંડળની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોનીએ […]








