Category Archives: પ્રવૃત્તિઓ

માનવજ્યોત દ્વારા જરૂરતમંદ લોકોને ખજુર તથા ગરમ ધાબડા અપાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા છેલ્લા ૪ દિવસમાં ૪૦૦ જરૂરતમંદ લોકોને ગરમ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપવામાં આવ્યું છે. ૧૨૦ પરિવારોને અડધો-અડધો કિલો ખજૂર પણ આપવામાં આવી છે.  શિયાળામાં શરીરને કંપાવી નાખતી ઠંડીમાં ઝુંપડાઓ-ભૂંગાઓ અને કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ લોકોની વહારે ભુજની માનવજ્યોત સંસ્થા આવી છે.  છેલ્લા અઠવાડિયાથી ઠંડીએ અતિ […]

ગળપાદર જેલના કેદીઓને ગરમઉકાળા સાથે હોમિયોપેથીક ગોળીઓ તથા માસ્કનું વિતરણ કરાયું

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા કચ્છ જીલ્લા પંચાયત જીલ્લા આયુર્વેદ શાખા ભુજ દ્વારા સોશ્યીલ ડીસ્ટન્સ અને સરકારી ગાઈડલાઈન્સને અનુસરીને ગળપાદર જેલ મધ્યે કેદી ભાઈ-બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવામાં આવેલ. રોગ પ્રતિકાર શક્તિઓ વધારવા હોમિયોપેથીક ગોળીઓ આપવામાં આવેલ, કોરોનાં સામે પ્રોટેકશન રૂપે દરેકને માસ્ક આપવામાં આવેલ અને ઠંડી સામે […]

પાલારા જેલના કેદીઓને ગરમધાબડા અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પાલારા ખાસ જેલમાં કેદી ભાઈ-બહેનોને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમધાબડા અર્પણ કરાયા હતા.  આ પ્રસંગે પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ રાવ, જેલર શ્રી વી.આર.રાઓલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી ઉપસ્થિત રહ્યા હતા.

પાલારા જેલના કેદીઓને ગરમઉકાળા સાથે હોમિયોપેથીક ગોળીઓ તથા માસ્કનું વિતરણ કરાયું

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, કચ્છ જીલ્લા પંચાયત જીલ્લા આયુર્વેદ શાખા ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પાલારા ખાસ જેલના કેદી ભાઈ-બહેનોને કોરોના સામે રક્ષણ મેળવવા અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવામાં આવેલ. રોગ પ્રતિકાર શક્તિઓ વધારવા હોમિયોપેથીક ગોળીઓ આપવામાં આવેલ. તેમજ કોરોના સામે પ્રોટેકશન રૂપે દરેકને માસ્ક આપવામાં આવેલ.  જીલ્લા કાનૂની સેવા સત્તા […]

માટીનું ચકલીઘર ચકલીઓ માટે આશ્રય સ્થાન બની ગયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ચકલીઓ માટે ઠેર-ઠેર ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. પક્ષી પ્રેમીઓએ ચકલીઘરો નજીક-નજીકમાં ગોઠવી ચકલીઓને તેનું ઘર આપ્યું છે. કચ્છમાં અનેક જાહેર સ્થળો-મંદિરો-બાગ-બગીચા-ચાની હોટલો, સરકારી કચેરીઓ, વૃક્ષો ઉપર તથા બાલ્કનીમાં, દુકાનો,ઓફિસો ઉપર માનવજ્યોતનાં માટીનાં ચકલીઘરો લટકતા જોવા મળે છે.  જીવદયાપ્રેમીઓ નાનકડા પક્ષી ચકલીઓનું પણ ખૂબ ધ્યાન રાખે છે. અનેક […]

માનવજ્યોત દ્વારા જરૂરતમંદ ૪૦૦ લોકોને ગરમધાબડા અપાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ૪૦૦ જરૂરતમંદ લોકોને તેમનાં ભૂંગા-ઝુંપડાઓ સુધી જઈ ઠંડી સામે રક્ષણ આપવા ગરમધાબડા અર્પણ કરાયા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવાએ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.

રિન્યુપાવર કાું દ્વારા ધાબડા વિતરણ કરાયા

રિન્યુપાવર કાું. દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ૩૫ માનસિક દિવ્યાંગોને ઓઢવા-પાથરવા ૭૦ ગરમધાબડાઓનું વિતરણ કાું. ના શ્રી રામગીરી, વિજયપ્રસાદ, નિતીન ગોહિલ, સુબોધ લસકરીનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. કચ્છમાં આવેલ આ કાું. એ ગત વર્ષે ત્રણ હજાર જયારે ચાલુ વર્ષે કચ્છમાં છ હજાર ગરમધાબડાનું વિતરણ કરેલ છે. આ ધાબડા કચ્છનાં વિવિધ ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં જરૂરતમંદ […]

સંસ્થાને સ્વર્ગારોહણ સીડી અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી બિનવારસ લાસોની અંતિમક્રિયાનું કાર્ય પણ કરવામાં આવે છે. જેનું કોઈ નથી અને તેનું અવસાન થાય, અથવાતો એકલા-અટુલા-નિરાધાર વ્યક્તિ જેનું આગળ-પાછળ કોઈ નથી, તેમજ રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા વ્યક્તિનું અવસાન થાય, છેલ્લે કોઈ ઓળખવિધિન થાય તેવી બિનવારસ લાસોની અંતિમવિધિનું કાર્ય ખૂબ જ કઠીન છે, ત્યારે માનવજ્યોત સંસ્થાનાં કાર્યકરો […]

ઓધવ-૩ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઓધવ-૩ મધ્યે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે તુલસીરોપાઓનું નિઃશુલ્ક વિતરણ રણુજાધામરામદેવપીર મંદિર કુકમાનાં સહકારથી સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.  શ્રી શંભુભાઈ જોષીએ તુલસીનું ધાર્મિક મહિમા અને ઔષધિમાં તેનો ઉપયોગ અંગે સમજ આપી હતી. પ્રારંભે મંદિરનાં પૂજારી પ્રવિણગીરી ગોસ્વામીએ સૌને આવકાર આપ્યો હતો.  શ્રી રામેશ્વર મહાદેવ મંદિર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ ચંદાબેન […]

ગોવિંદભાઇ ખોખાણીને શ્રદ્ધાંજલિ અપાઇ

ગોવિંદભાઈ વિશ્રામખોખાણીનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેઓશ્રીએ પોતાનો છેલ્લો જન્મદિવસ પાલારા મધ્યે રામદેવ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવીને ઉજવ્યો હતો. સંસ્થાને અવાર-નવાર અનુદાન પણ તેમના દ્વારા મળતું રહ્યું હતું. તેઓશ્રી સાચા સેવક હતા.  માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, મુરજીભાઇ […]