માનવસેવા-જીવદયા સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને ધનજીભાઇ કુંવરજી વાગડીયા-કેરાવાલા તરફથી રુ. 51 હજાર, એસ.એમ.બુક કીપીંગ સર્વિસ એલ.એલ.પી. દ્વારા રુ. 50 હજાર, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા રુ. 25 હજાર, આશિષભાઇ આર. જોષી- અમદાવાદ દ્વારા રુ. 25 હજાર, ભીખુભા કલ્યાણસિંહજી જાડેજા (ટિલાટ) નવી ચીરઇ દ્વારા રુ. 22 હજાર, ઓમ ફ્રેટ ફોર્વડસ પ્રા. લી. મુંબઇ દ્વારા રુ. 33 હજાર, કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ કું. ગાંધીધામ દ્વારા રુ. 11 હજાર, ધનજીભાઇ રામજી વેકરીયા બળદીયા દ્વારા રુ. 10 હજાર તથા રણછોડભાઇ હીરજી વરુ અંજાર દ્વારા રુ. 10 હજારનું અનુદાન મળેલ.
દાતાશ્રીઓએ માનવજ્યોત સંસ્થા ભુજની માનસિક દિવ્યાંગો અને વૃદ્ધ વડીલો માટે થતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ
આભારની લાગણી વ્યક્ત કરેલ.