નલીયાથી મળેલો પશ્ચિમ બંગાળનો યુવાન ૨૦ વર્ષે ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેર મિલન

પશ્ચિમ બંગાળનાં બરનપુર (વર્ધમાન) જીલ્લાનો રહેવાસી ક્રિષ્નાંઘર શિવશંકર યાદવ ઉર્ફે મોહન ઉ.વ. ૩૬અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તે નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. પરિવારજનો વર્ષો સુધી ચિંતા સેવતા રહ્યા હતા. અને બેચેન બન્યા હતા.

અનેક રાજ્યોમાં વર્ષો વિતાવનાર અને અનેક કષ્ટો સહન કરનાર તથા મુશ્કેલીઓ વેઠનાર ક્રિષ્નાંઘર ડીસેમ્બર-૨૦૧૯ માં રેલ્વે માર્ગે ભુજ સુધી અનેક ત્યાંથી અબડાસાનાં નલીયા સુધી પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેને નલીયાનાં બાયપાસ મુખ્ય માર્ગ ઉપરથી લઇ જઇ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર શરૂ કરાવી હતી. ડો. મહેશભાઇ ટિલવાણીની સારવારથી માત્ર ૧ મહિનામાં તે સ્વસ્થ બન્યો હતો. રામદેવ સેવાશ્રમના મેનેજર શ્રી ગુલાબ મોતાએ તેની પાસેથી માહિતી મેળવી. જેનાં આધારે તેને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતની સંસ્થા મારફતે તેના ઘર અને ગામ સુધી પહોંચાડવામાં આવતાં પરિવારજનો અને ગામવાસીઓએ ખુશી વ્યક્ત કરી હતી. આખા ગામમાં ઉત્સવની જેમ લોકો આ અજબ ગજબ ઘટનાં નિહાળવા તેના ઘર સુધી પહોંચ્યા હતા. હવે જયારે તે ઘરે પહોંચ્યો છે ત્યારે તેની ઉંમર ૫૬ વર્ષ થઇ ચૂકી છે. પત્ની બાળકો તેને વિંટળાઇ વળ્યા હતા. દરેકની આંખો આ મિલન સમયે અશ્રુભીની બની હતી.

માનવતાનાં આ કાર્યમાં ગુલાબ મોતા, વાલજી કોલી, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારાની સમગ્ર ટીમનો સહયોગ મળ્યો હતો.

નલીયાથી મળેલ આ યુવાન સ્વસ્થ બની ૨૦ વર્ષ પછી તેનાં ઘરે પહોંચ્યો છે. પરિવારજનો સાથે ફેરમિલન થયું છે.