આખાત્રીજે વધી પડેલી રસોઇમાંથી પાંચ હજાર ગરીબો ભરપેટ જમ્યા

અક્ષય તૃતિયા (આખાત્રીજ) નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં વિવિધ સમાજવાડીઓમાં લગ્નો પ્રસંગે ભોજન સમારંભો યોજાયા હતા.

૧૯ સમાજવાડીઓમાંથી ભોજન સમારંભોની રસોઇ વધી પડ્યા હોવાનાં ફોન માનવજ્યોત સંસ્થાને મળતાં જ સંસ્થાએ આ વધી પડેલી રસોઇ વિવિધ સમાજવાડીઓમાંથી એકઠી કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા પાંચ હજાર ગરીબો ભરપેટ જમ્યા હતા. અને તેમનાં પેટનો ખાડો પૂરાયો હતો.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, પ્રતાપ ઠક્કર, નિરવ મોતા, સાગર લાલકા, રાજુ જાગી, ઇરફાન લાખા, મહેશ મારાજ તથા કાર્યકરોએ સંભાળી હતી.