જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્ત્રીઓનાં કાનૂની હકો વિશે વક્તવ્ય યોજાયું

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા “શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય’’ ભુજ મધ્યે સ્ત્રીઓના કાનૂની હકો વિશે વક્તવ્ય યોજાયું હતું. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનં સચિવ અને સિનિયર જજ તથા એડિશનલ ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલસાહેબ, એડવોકેટ શ્રી મલહારભાઇ બુચ, એડવોકેટ શ્રી અમિતભાઇ ઠક્કર, કન્યા વિદ્યાલયનાં ટ્રસ્ટી શ્રી મધુભાઇ સંઘવી, શાળાનાં પૂર્વ આચાર્યા નલીનીબેન શાહ, માતૃછાયા કન્યા વિદ્યાલયનાં આચાર્યા શ્રી સુહાસબેન પી. તન્ના, પેરાલીગ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે ઉપÂસ્થત રહી વિદ્યાલયની કન્યાઓને ઉપયોગી માહિતીની સમજ પૂરી  પાડી હતી.

પ્રારંભે શાળા પરિવાર દ્વારા અતિથિઓનું સ્વાગત કરવામાં આવેલ. ત્યાર બાદ પ્રસંગ પરિચય આપવામાં આવેલ. કાર્યક્રમનાં મુખ્ય વક્તા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન.પટેલે જણાવ્યું હતું કે, કોર્ટમાં દરેક નિતિ નિયમોનું પાલન થાય છે. તમે બધા કાર્યો જાણો છો. જન્મ દાખલાથી મૃત્યુ દાખલા સુધી કાયદાની જરૂર પડે છે. કાનૂન દરેક માટે છે તેવું જણાવી દેશમાં મહિલા ઉપર બનેલા વનાવોને વર્ણવી કન્યાઓને તેની સામે સાવધાન રહેવા જણાવ્યું હતું.

મોબાઇલનો સદ્‌ઉપયોગ કરવા અને દૂર ઉપયોગ કયારે પણ ન કરવા સમજ પૂરી પાડી હતી. જાગૃત રહી આગળ વધવા જણાવ્યું હતું. કાયદાની સમજ સરળ ભાષામાં આપી હતી.

શિબિરનું સંચાલન શ્રી ફતુભા જાડેજાએ જયારે આભારવિધિ હિમાંશુ બારોટે કરેલ. વ્યવસ્થામાં હેત

પરમાર, આનંદ રાયસોની તથા માતૃછાયા કન્યા વિદ્યાલય સ્ટાફ સર્વેએ સહકાર આપ્યો હતો.