નાગોર ગામે કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ નજીક આવેલા નાગોર ગામનાં બસ સ્ટેશને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ ગામનાં સરપંચ શ્રી અરવિંદભાઇ સોરઠીયાનાં અધ્યક્ષ પદે યોજાયો હતો. પ્રધ્યુમનસિંહ ચુડાસમાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

પ્રારંભે માનવજ્યોતનાં પ્રમુખ પ્રબોધ મુનવરે સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની સમજ પૂરી પાડી હતી. ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજાએ અબોલા જીવોની સેવા કરી જીવનને સાર્થક બનાવવા સમજ અપાઇ હતી.

શ્રી શંભુભાઇ જાષીએ શહિદોની યાદમાં શહીદોને વંદના કરી તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરાવ્યું હતું. શાળાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તથા ગામવાસીઓ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં જાડાયા હતા. ઉપસ્થિત દરેકને કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.

શામજીભાઇ સોરઠીયા, વેલજીભાઇ, વૃજલાલભાઇ, પ્રવિણભાઇ, પી.પી. ગોસ્વામી, સકીલભાઇ સોરઠીયા સમાજનાં પ્રમુખ શ્રી તથા મિસ્ત્રી સમાજનાં આગેવાનો તથા ગામલોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શંભુભાઇ જાષીએ જયારે આભાર વિધિ પ્રધ્યુમનસિંહ ચુડાસમાએ કરેલ.