મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની પુણ્યતિથિ ઉજવાઇ

નામદાર મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. તેમજ એકલા-અટુલા નિરાધાર 103 વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.

વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજાએ સંભાળી હતી.