લવીંગ-કપૂર-અઝમો, મિક્ષ પાવડર ૭ હજાર પડીકી વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટ વચ્ચે દર્દીઓની શ્વાસો શ્વાસની ઓકિસજન સ્થિતિ સુધારવા, આયુર્વેદીક ઉપચાર રૂપે લવીંગ-કપૂર-અઝમાનું પાવડર બનાવી મિશ્ર કરી બનાવવામાં આવેલ સાત હજાર પાઉચ વિતરણ કરવામાં આવ્યા હતા. જે સુંધવાથી રાહત મળે છે. તેમજ શ્વાસ પ્રક્રિયામાં સુધારો થાય છે.