ભુજ નજીક આવેલા માધાપર નવાવાસના ઉપસરપંચ શ્રી અરજણભાઈ ભુડિયાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવી જન્મદિનની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમણે માનવજ્યોત સંસ્થા ભુજને જન્મદિન નિમિત્તે રૂા. ૨૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થા સંચાલિત આશ્રમની મુલાકાત લઈ માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાઓને બિરદાવી હતી. સંસ્થા દ્વારા તેઓનું સન્માન કરી જન્મદિનની શુભેચ્છાઓ સાથે પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.