માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે ૨૦મી માર્ચનાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં કરવામાં આવતી હોય છે. પણ ચાલુ વર્ષે કોરોના વાયરસને ધ્યાને લઇ આ ઉજવણી મોકુબ રાખવામાં આવી છે. તેવું માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ જણાવ્યું હતું.