જય ઓધવરામની કૃપાથી ભુજ શહેરનાં જેષ્ઠાનગરનાં ભાનુશાલી ફળિયાની ભાનુશાલી બહેનોએ ૧ હજાર ઘઉંની તૈયાર રોટલી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં અમાસનાં દિવસે અનેક ગરીબો સુધી આ રોટલીઓ પહોંચી હતી. ભાનુશાલી મહાજન અને યુવક મંડળ ભુજ દ્વારા પણ માનવજ્યોત સંસ્થાને તૈયાર ફુડ પેકેટસ આપવામાં આવે છે.
ભુજનાં ન્યુ લોટસ મહિલા મંડળનાં બહેનોએ પણ પોત પોતાનાં ઘરે રોટલી બનાવી ભૂખ્યા લોકો સુધી પહોંચાડવા માનવજ્યોતને આપી હતી.
કુનરિયા ગામનાં પાંચ આશા વર્કર બહેનો તથા ગામની મહિલાઓ મળી ૧૦ દિવસ સુધી માનવજ્યોત ભુજને જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા રોટલી શાક તૈયાર આપશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરરોજ ભુજ વિસ્તારનાં જરૂરતમંદ બે હજાર લોકોને તૈયાર રસોઇ તેમનાં ભૂંગા,ઝુંપડા, ઘર સુધી પહોંચાડવામાં આવે છે.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, રફીક બાવા, નીરવ મોતા સંભાળી રહ્યા છે.