લેવા પટેલ હોસ્પીટલ સામે આવેલ ઝુંપડામાંથી એક અજાણ્યા વ્યક્તિની ચાર-છ દિવસ પહેલા મૃત્યુ પામેલા પુરૂષની લાશ જોવા મળતા મકરસંક્રાંતિની ઢળતી સંધ્યાએ કોઈક જાગૃત નાગરિકોએ પોલીસ તથા માનવજ્યોત સંસ્થાને જાણ કરી હતી.
ડી.વાય.એસ.પી. શ્રી જે.એન. પંચાલ, બી. ડિવિઝન પી.આઈ. એસ.બી. વસવા ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.
બંધ ઝુંપડામાંથી આ લાશ મળી હતી. દુર્ગધ મારતી લાશ એકદમફુલી ગઈ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, નરેશ તાજપરીયા, ઈરફાન લાખાએ ગુણવંત,વિજય, કાલુ અને કાલીચરણનાં સહકારથી લાસને પેક કરાવી માનવજ્યોતનાં ખુલ્લા છકડા મારફતે જનરલ હોસ્પીટલ પી.એમ. રૂમ સુધી પહોંચાડી હતી. લાશની ઓળખ થઈ શકી ન હતી. વધુ તપાસ માટે લાસને જામનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.