અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કોરોના યોદ્ધાઓને સન્માનિત કરાયા

પૂરા દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ની વૈશ્વિક મહામારીની સામે પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વિના રાષ્ટ્રહિત માટે સેવા, યોગદાન, સમય આપી, સામાન્ય જનમાનસનાં હિત માટે રાષ્ટ્ર સેવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી. સિંહ બધેલ દ્વારા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને સન્માનપત્ર અર્પણ કરાયો હતો. તેમની કોરોના યોદ્ધા તરીકે આપેલ સેવાઓને બિરદાવવામાં આવી હતી.

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ભુજ તાલુકા પ્રમુખ શ્રી બનેસિંહ શિવુભા જાડેજા, લખપત તાલુકા પ્રમુખ વિક્રમસિંહ જાડેજા, વિજ્યરાજસિંહ સોઢા, લાખુભા જાડેજાએ માનવજ્યોતની ભૂખ્યાને ભોજન તથા કોરોના સંકટ વચ્ચે જરૂરતમંદ લોકો સુધી પહોંચી જઇ, લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ થવાનાં કાર્યોની નોંધ લઇ તેઓની માનવસેવાની પ્રવૃત્તિઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.